Feb 19, 2012

પુરુષાર્થ અને ભાગ્ય સાથે સાથે...


गुणोऽपि दोषतां याति
वक्रीभूते विधातरी।
सानुकूले पुनस्तस्मिन्
दोषोऽपि च गुणायते॥
નળ-દમયંતીની કથા જાણીતી છે. નળે રાજપાટ ખોયું અને દંપતી વન વન ભટકતું થયું. કહેવાય છે કે દમયંતીના હાથમાં અમૃત હતું, મરેલું પણ એના હસ્તસ્પર્શથી જીવતું થઈ જાય. ભૂખથી તરફડતા નળ રાજાએ નદીમાંથી મહા-પરાણે એક નાની માછલી પકડી અને દમયંતીના હાથમાં આપી, બીજી માછલી પકડવા મથ્યો પણ પકડાઈ નહિ. બીજી બાજુ દમયંતીના હાથમાં માછલી જીવતી થઈને નદીમાં કૂદી પડી. નસીબ વાંકું હતું.
ઉપરનું સુભાષિત આ વાત જ સમજાવે છે. કે ખરાબ સમય ચાલતો હોય ત્યારે વ્યક્તિનું લાભદાયી ઉત્તમ લક્ષણ પણ અવગુણ બની જાય છે, પરંતુ નસીબ સુધરે એટલે પાછું ફળદાયી લક્ષણ બની જાય છે, જેવું નળ-દમયંતી વિશે અંતે ફરી રાજ્ય મળવાથી થયું. પુરુષાર્થ ઉપરાંત ભાગ્યબળ પણ વ્યક્તિ માટે જરૂરી છે.

No comments:

Post a Comment