Jan 29, 2013

Mega Suryanamaskar Event

आज से 350 वर्ष पूर्व समर्थ गुरु रामदास ने गाँव-गाँव में सूर्यनमस्कार को प्रचलित किया था। छत्रपति शिवाजी की सेना बनी व स्वराज्य का गौरवमय इतिहास लिखा गया। सूर्यनमस्कार राष्ट्रनिर्माण का मार्ग सिद्ध हुआ। सूर्यनमस्कार के नियमित अभ्यास से शरीर बलवान व लचीला, मन एकाग्र व शांत, बुद्धि तीक्ष्ण व समग्र तथा भावना संतुलित व उदात्त बनने के साथ ही आध्यात्मिक उन्नति भी होती है। सूर्यनमस्कार के सामूहिक अभ्यास से चमुत्व भाव (टीम स्पिरिट) का विकास व राष्ट्रनिर्माण का संस्कार सहजता से हो जाता है। आयोजन की भव्यता से समाज में सकारात्मक संदेश प्रसारित होता है। कार्यकर्ता, शिक्षक एवं समाज के प्रबुद्ध वर्ग में आत्मविश्वास का संचार होता है। स्वामी विवेकानन्द हमेशा कहा करते थे- ‘हमारे देश को चाहिए लोहे की मांसपेशियां और फौलाद के स्नायु। ऐसा शक्तिशाली शरीर और मन कि जिसका अवरोध दुनिया की कोई ताकत न कर सके।' स्वामीजी के इस शक्तिदायी विचार को ध्यान में रखते हुए भारत को शारीरिक, मानसिक, बौद्धिक, भावनात्मक और अध्यात्म के बलार्जन का संदेश देने के लिए स्वामी विवेकानन्द सार्ध शती समारोह समिति ओर से देशभर ‘सूर्यनमस्कार महायज्ञ' का आयोजन किया जा रहा है। स्वामी विवेकानन्द की 150वीं जयंती उपलक्ष्य में आयोजित इस उपक्रम का विद्यालय के प्राचार्य, शिक्षक तथा विद्यार्थियों ने हार्दिक स्वागत किया है। इसके लिए सबसे पहले नागपुर सभी विद्यालयों के चयनीत विद्यार्थियों का अग्रेसर के रूप में प्रशिक्षित किया जाएगा। तत्पश्चात विद्यालयों में उन प्रशिक्षित विद्यार्थियों के माध्यम से अन्य छात्र-छात्राओं को सूर्यनमस्कार का प्रशिक्षण दिया जाएगा। सोमवार दि.18 फरवरी, 2013 को सम्पन्न होने वाले इस सूर्यनमस्कार महायज्ञ के लिए नागपुर के सभी विद्यालयों से संपर्क किया जा रहा है। नगर के सभी विद्यालयों के प्रचार्य, शिक्षक, छात्र-छात्राएं तथा अभिभावकों से आह्वान किया जाता है कि इस सामूहिक सूर्यनमस्कार के अभिनव आयोजन में सहभागी होकर स्वामीजी के इस सार्ध शती के अवसर पर उन्हें वीरता से पूर्ण कृति अर्थात ‘सामूहिक सूर्यनमस्कार' के द्वारा नमन करें।


Jan 28, 2013

સર્વ ધર્મનો એક જ સંદેશ : માનવતા

‘ધર્મ’ શબ્દ સંસ્કૃત ‘ધૃ’ ઉપરથી થયો છે. તેનો અર્થ ધારણ કરવું અથવા સાંધી દેવુ એવો થાય છે. ટૂંકમાં મનુષ્યોને જુદા પાડતાં રોકે તેનું નામ ધર્મ.


મહાભારતમાં કહ્યું છે કે, ‘ધર્મનો અર્થ સંભાળી રાખવું કે સાંધી દેવું એવો છે. ધર્મથી સૌ સાવધ રહે છે તથા મળતા રહે છે. જે કાર્યથી સર્વ લોકો એકમેક સાથે સંકળાયેલા રહે તે જ સાચો ધર્મ. જે કાર્યથી સર્વનું કલ્યાણ થાય, સૌનું ભલું થાય, જે કાર્યથી કોઈને હાનિ ન પહોંચે તે કાર્ય એટલે જ સાચો ધર્મ’.


કુરાનમાં કહેવાયું છે કે, ‘મજહબ’ શબ્દનો અર્થ છે ‘માર્ગ’ જે રસ્તો સૌની ભલાઈનો છે તે જ સાચો ધર્મ - મજહબ છે.


એક વાર મહંમદ સાહેબને કોઈએ પૂછ્યું કે, ‘ધર્મ શું છે?’ ત્યારે તેમણે ઉત્તર આપ્યો કે ધીરજથી સહન કરવું અને બીજાઓનું કલ્યાણ કરવુ તે ધર્મ છે.


બાઈબલમાં કહેવાયુ છે કે, ‘હે માનવી તું ભોગલાલસાનો ત્યાગ કરી સંયમી બનજે, સત્યના માર્ગે ચાલતો રહેજે અન્યનું કલ્યાણ કરજે.’


હિન્દુઓનો ઋગ્વેદ હોય કે યહૂદીઓની તૌરાત હોય, પારસીઓનો ઝન્દ અવસ્તા હોય કે બૌદ્ધની ત્રિપિટક હોય, ઈસાઈઓનું બાઈબલ હોય કે મુસલમાનોનું કુરાન હોય... આ બધા ધર્મગ્રંથો વાંચવામાં આવે તો તેનો ઉદ્દેશ, તેની મૂળભૂત વાતો એકસરખી જ છે. સર્વની ભલાઈ એ જ ધર્મ છે. સૌનું કલ્યાણ એ જ ધર્મ છે. આ બધા ધર્મગ્રંથોનો સાર ‘માનવતા’ જ છે. કદાચ એટલા માટે જ ભગવાન કૃષ્ણનું વચન તમને બાઈબલમાં વાચવા મળે છે. જીસસનું કોઈ કહેલું વાક્ય તમને ગીતામાં વાંચવા મળશે. કુરાનની કોઈ આયત તેની વ્યાખ્યા તમને વેદોમાં જોવા મળશે. બુદ્ધનાં વચનો ચીના લોકો સમજે છે અને ચીનના લાઓત્સે તાઓ તેક કિંગના વચનો ભારતના ‘કબીર’ સાંભળે છે.


કહેવાનો મતલબ એટલો જ છે ધર્મગ્રંથોના મહાસાગરમાં ક્યાંય પણ ડૂબકી લગાવો, ત્યાં તમને માનવતાનાં જ ‘મોતી’ મળશે. માનવધર્મ જ બધા ધર્મનો સાર છે.

Jan 23, 2013

વાસ્તવિકતા સ્વીકારવી ઘટે

એક જાણીતી બોધકથા મુજબ ત્રણ મિત્રો ધન કમાવા પરદેશ જવા નીકળ્યા. રસ્તામાં ચાંદીનો દટાએલો ભંડાર મળ્યો. તે લઈને એક મિત્ર પાછો ફર્યો. પછી સોનાનો ચરુ મળ્યો. બીજો મિત્ર એમાં સંતોષ માનીને ચરુ સાથે પાછો ફર્યો.


ત્રીજા મિત્રે કહ્યું કે પહેલા ચાંદી, પછી સોનું મળ્યું તો હવે આગળ જતાં રત્નો જ મળવાં જોઈએ. પેલા બે મિત્રોએ જે મળ્યું છે તે વહેંચીને સંતોષથી જીવવા કહ્યું, પણ ત્રીજો મિત્ર ન માન્યો. છેવટે રત્નો મેળવવાની ઘેલછામાં એ એવી મુશ્કેલીમાં ફસાયો કે જીવ ખોવો પડ્યો.


જે નજર સામે હોય તેને અવગણીને કલ્પ્ના પાછળ દોડવાથી નુકસાન થાય, તે સમજાવતો એક શ્ર્લોક છે -


यो ध्रुवाणि परित्यज्य


अध्रुवाणि निवेशते।


ध्रुवाणि तस्य नश्यन्ति


अध्रुवं नष्टमेव च॥


ધ્રુવ એટલે કે જે સામે છે તેને છોડીને જે કાલ્પનિક છે, જે નજરે જોયું નથી એની પાછળ દોડનાર જે પ્રત્યક્ષ છે તે તો ખોઈ જ બેસે છે, અને અધ્રુવ એટલે કે કલ્પ્નાના ઘોડાએ બતાવેલું તો હોતું જ નથી. ‘બાવાનાં બે’ય બગડ્યા’ જેવો ઘાટ થાય છે.