Apr 3, 2016

નશ્ર્વર દેહના નહીં શાશ્ર્વત પરમેશ્ર્વરના સેવક બનો

મહાન તત્ત્વજ્ઞાની સંત એકનાથ પાસે એક દિવસ એક વ્યક્તિ આવ્યો અને કહ્યું, "ભગવન્ ! તમારું જીવન કેટલું શાંત, સૌમ્ય અને આત્મસંતોષપૂર્ણ છે, જ્યારે મારે તો શાંતિની એક એક પળ માટે વલખાં મારવાં પડે છે. મારે પણ તમારા જેવું જીવન જીવવું છે. કૃપયા મને માર્ગદર્શન આપો. એકનાથે જવાબ આપ્યો, "ભાઈ, હવે ખૂબ જ મોડું થઈ ગયું છે, કારણ કે મારી દિવ્ય દૃષ્ટિ પ્રમાણે તું આઠ જ દિવસ જીવવાનો છું. માટે તારે તારા શેષ જીવનનો ભરપૂર આનંદ ઉઠાવી લેવો જોઈએ અને બાકી રહેલી એક એક પળને આનંદ અને ભોગવિલાસમાં જીવી લેવી જોઈએ. આ સાંભળી પેલો માણસ ઉદાસ થઈ ગયો. મૃત્યુના ભયે તેના અંતરઆત્માને ઘેરી લીધો. તે ઝડપથી પોતાના ઘરે પહોંચી પ્રથમ પત્ની અને ત્યારબાદ તેનાં બાળકો અને ભૂતકાળમાં જે જે લોકોને તેણે નાહકનાં કષ્ટ આપ્યાં હતાં તેને યાદ કરી તેમની માફી માંગી પ્રાયશ્ર્ચિત્ત