Nov 24, 2012

રાષ્ટ્રશરીરનો આધાર

મનુષ્યદેહ પાંચ ઇન્દ્રિયોનો બનેલો છે. આ પાંચેય ઇન્દ્રિયોનો સુભગ સંયોગ થાય તો માણસ સારો બને છે અને ખરાબ સંયોગ થાય તો ખરાબ બને છે. એકાદ ઇન્દ્રિય પણ છિદ્રવાળી (ખરાબ) હોય તો માણસ પતીત થાય છે. કુટુંબ અને સમાજ તેને તિરસ્કારે છે અને તે બધાં માટે ભારરૂપ બને છે. સમાજ અને રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા માટે માત્ર સુદ્ઢ શરીર નહિ પણ સંસ્કારી દેહની જરૂર છે.


पंचेन्द्रियस्य मर्त्यस्यच्छिदं,


चेदेकम् इन्द्रियम्।


ततोस्य सुव्रति प्रज्ञा,


ईतेः प्राज्ञादिवोदकम्।


પાંચ ઇન્દ્રિયવાળા મનુષ્યની એક પણ ઇન્દ્રિય છિદ્રવાળી (ખરાબ) હોય તો કાણી પખાલમાંથી ટપકતા પાણીની જેમ તેની સારપ અને બુદ્ધિ પણ ધીરે ધીરે ટપકી જાય છે.


મહાભારત વિદુરનીતિ (ઉદ્યોગપર્વ)


જેમ પંચેન્દ્રિયોની સારપ શરીરને સુદ્ઢ અને સંસ્કારી રાખે છે તે જ રીતે સમાજ-પુરુષ અને રાષ્ટ્રપુરુષને પણ આવા સંસ્કારી પંચેન્દ્રિયધારી નાગરિકો જ ઉન્નત બનાવે છે.