Dec 25, 2013

ભગવાનની કૃપા

એક યુવાન ઓલિમ્પિકની રમતોમાં તરવાની સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યો હતો. ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા ધરાવતા કુટુંબમાં એનો ઉછેર થયો હતો.

એક દિવસ રાત્રે નવ વાગ્યે એ એના ઘરની બાજુના જાહેર સ્નાનાગરમાં પહોંચ્યો. સ્વિમિંગ પુલની બધી જ લાઇટો બંધ જોઈને એને નવાઈ લાગી. સ્વિમિંગ પુલની આજુબાજુની ઊંચી દીવાલોને કારણે અંધારું પણ ઘણું જ લાગતું હતું. પોતાની ધૂનમાં મસ્ત એ કૂદકો મારવાના સૌથી ઊંચા પાટિયા-ડાઇવિંગ બોર્ડ સુધી પહોંચ્યો. કૂદકો મારવા પાટિયા પર ઊંધો ઊભો રહીને બંને હાથ પહોળા કર્યા. એ જ સમયે પાછળના રોડ પરની લાઇટના લીધે સામેના બિલ્ડિંગ પર પડતો પોતાનો જ વિશાળ પડછાયો એની નજરે પડ્યો. પહોળા કરેલા હાથ અને ઊંચા માથાના વાળને કારણે એને પડછાયો શ્રીકૃષ્ણ જેવો લાગ્યો. આવું દ્શ્ય જોતાં જ એના દિલમાં આસ્થાનો એક આવેગ આવી ગયો. કૂદકો મારવાનું બે ક્ષણ માટે મુલતવી રાખીને એ પ્રાર્થના કરવા માટે ઝૂક્યો અને મોટેથી બોલી ઊઠ્યો, ભગવાન ! મારા પર કૃપા રાખજો !

જોરથી બોલાયેલા એના શબ્દો સાંભળી પુલની રખેવાળી કરતા ચોકીદારે સ્વિમિંગ પુલની બધી લાઇટ્સ ચાલુ કરી દીધી. અચાનક પથરાઈ ગયેલા અજવાળાને કારણે પેલા યુવાને નીચે જોયું. એ સ્તબ્ધ અને ગળગળો થઈ ગયો. એ દિવસે સાફસૂફી માટે સ્વિમિંગ પુલ ખાલી કરી નાખવામાં આવ્યો હતો. એમાં જરા પણ પાણી નહોતું. જો એણે કૂદકો મારી દીધો હોત તો ? એવો વિચાર પણ એને ધ્રુજાવી ગયો. ખરેખર ભગવાને એની પ્રાર્થના સાંભળી હતી. એ યુવાન ક્યાંય સુધી ઝૂકીને આંસુ ટપકતી આંખે ભગવાનનો આભાર માનતો બેસી રહ્યો.

ખરેખર ! એને યાદ કરીએ અને એ ન સાંભળે એવું ક્યારેય બનતું નથી. બસ, જરૂર હોય છે એને દિલથી સાદ પાડવાની. (મનનો માળો : પુસ્તકમાંથી સાભાર)

Dec 9, 2013

आप भी जानिये धारा 370

आप भी जानिये धारा 370
--------------------
जम्मू-कश्मीर के नागरिकों के पास दोहरी नागरिकता होती है ।
---------------
जम्मू-कश्मीर का राष्ट्रध्वज अलग होता है ।
-----------------
जम्मू - कश्मीर की विधानसभा का कार्यकाल 6 वर्षों का होता है
जबकी भारत के अन्य राज्यों की विधानसभाओं का कार्यकाल 5
वर्ष का होता है ।
-----------------
जम्मू-कश्मीर के अन्दर भारत के राष्ट्रध्वज या राष्ट्रीय
प्रतीकों का अपमान अपराध नहीं होता है ।
----------------
भारत के उच्चतम न्यायलय के आदेश जम्मू - कश्मीर के अन्दर
मान्य नहीं होते हैं ।
--------------------------
भारत की संसद को जम्मू - कश्मीर के सम्बन्ध में अत्यंत सीमित
क्षेत्र में कानून बना सकती है ।
-----------------------------
जम्मू कश्मीर की कोई महिला यदि भारत के किसी अन्य राज्य के
व्यक्ति से विवाह कर ले तो उस महिला की नागरिकता समाप्त
हो जायेगी । इसके विपरीत यदि वह पकिस्तान के
किसी व्यक्ति से विवाह कर ले तो उसे भी जम्मू - कश्मीर
की नागरिकता मिल जायेगी ।
-------------
और
-------------------------
धारा 370 की वजह से कश्मीर में RTI लागु नहीं है । RTE लागू
नहीं है ।
CAG लागू नहीं होता । …। भारत का कोई भी कानून लागु
नहीं होता ।
---------------------
कश्मीर में महिलावो पर शरियत कानून लागु है ।
कश्मीर में पंचायत के अधिकार नहीं ।
कश्मीर में चपरासी को 2500 ही मिलते है ।
कश्मीर में अल्पसंख्यको [ हिन्दू- सिख ] को 16 % आरक्षण
नहीं मिलता ।
------------------------------
धारा 370 की वजह से कश्मीर में बाहर के लोग जमीन नहीं खरीद
सकते है ।
----------------------------------------
धारा 370 की वजह से ही पाकिस्तानियो को भी भारतीय
नागरीकता मिल जाता है ।
इसके लिए पाकिस्तानियो को केवल किसी कश्मीरी लड़की से
शादी करनी होती है ।
---------------------------------------------

अच्छी शुरुवात है कम से कम 370 हटाने की दिशा में एक कद
आगे की ओर ..

अब यदि कोई सेकुलर इन तथ्यों के विषय में कुछ कहना चाहे
तो स्वागत हैं.

કોના માટે ?

એક વખત એક નાનકડી પણ તોફાની નદીને કેટલાંક માણસો પસાર કરી રહ્યાં હતાં. નદી પર પુલ નહોતો. આવતાં-જતાં લોકોએ સ્વઅનુભવથી અમુક રસ્તો નક્કી કરી લીધો હતો. બધાને ખબર હતી કે આ આશરે નક્કી કરેલા રસ્તાની બંને તરફ જ થોડાંક પગલાં દૂર જવાથી ઊંડા ખાડા અને વમળ હતાં.

પસાર થઈ રહેલાં માણસોમાં એ દિવસે એક વૃદ્ધ માણસ પણ હતો. અવસ્થા અને આંખની થોડીક નબળાઈના કારણે મહામુશ્કેલીથી એણે રસ્તો પસાર કર્યો. એની પાછળ જ પોતાના નાનકડા બાળકનો હાથ પકડીને માંડમાંડ રસ્તો પસાર કરી રહેલી એક સ્ત્રીને જોઈને એમને દયા આવી ગઈ. એ દાદા સુથાર હતા. સામે કાંઠે પહોંચીને તરત જ એમણે પોતાના ખભે રાખેલા થેલામાંથી ઓજારો કાઢ્યાં. આજુબાજુ ઊગી નીકળેલા વાંસ અને જંગલી વેલાઓ કાપીને એમણે લાકડાનો પુલ બનાવવાનું શરૂ કર્યું. આવતાં-જતાં લોકોમાંથી થોડાંક માણસો આ દ્શ્ય જોઈને ઊભાં રહી ગયાં. કોઈકે વળી સુથારદાદાને પૂછી પણ લીધું, ‘કેમ દાદા શું કરી રહ્યા છો ? પુલ બનાવો છો ?’

પોતાના કામમાં મશગૂલ થઈ ગયેલા દાદાએ ઊચું જોયા વિના જ માથું હલાવી હા પાડી.

‘દાદા ! અહીં જ આસપાસમાં ક્યાંક રહો છો ?’ પસાર થતાં લોકોમાંથી કોઈક બીજાએ પૂછ્યું.

‘ના !’ દાદાએ જવાબ વાળ્યો.

‘તો પછી રોજ અહીંથી આવવા-જવાનું થતું હશે ખરું ને ?’ પ્રશ્ર્ન કરનારને આશ્ર્ચર્ય થયું હતું, કે જો આ માણસ અહીંયાં ન રહેતો હોય તો વળી એ પુલ બનાવવાની જફા શું કામ વહોરે ? નક્કી એને વારંવાર આ નદી ઓળંગવી પડતી હશે.

એનાથી કહ્યા વિના ન રહેવાયું કે, ‘દાદા ! તો પછી આ બધી માથાકૂટ મૂકોને પડતી ! કોના માટે આ પુલ બાંધી રહ્યા છો ?’

હવે એ દાદાએ ઊચું જોયું. કંઈ પણ બોલ્યા વિના પોતાની માતાનો હાથ પકડીને માંડ માંડ નદી પસાર કરી રહેલા બીજા એક બાળક સામે આંગળી ચીંધી. પછી ફરી પોતાના કામે લાગી ગયા !...

* * *

હંમેશાં પોતાની જાત માટે જ કંઈ કરવા કરતાં ક્યારેક બીજા માટે પણ કંઈક કરી છૂટીએ ત્યારે ખરેખર અતિ પ્રસન્નતાના અધિકારી બની જવાય છે અને એ કામ પછી જરાય ભારરૂપ નથી રહેતું.

Nov 11, 2013

સરહદની સુરક્ષા

વાત છે પાંચ દાયકાઓ પહેલાંની. સંસદ-લોકસભામાં સરહદી વિસ્તાર લદ્દાખમાં ચીની આક્રામક કારવાઈ સામે સજગ અને સંન્નધ રહેવા માટેની મથામણરૂપ ચર્ચા ચાલી રહી હતી. પ્રધાનમંત્રી પં. જવાહરલાલજીએ ચર્ચામાં દરમિયાન થતાં કહ્યું કે, "લદ્દાખના એ બર્ફીલા નિર્જન વિસ્તારમાં ઘાસનું એક તણખલું પણ ઊગતું નથી. એના માટે ચર્ચાની કોઈ જરૂર નથી. મને સમજાતું નથી કે તમે બધા એના માટે આટલો બધો ઉહાપોહ શા માટે કરી રહ્યા છો ?

લોકસભામાં કોંગ્રેસના જ વરિષ્ઠ સાંસદ મહાવીર ત્યાગી પણ હાજર હતા. તેમને પંડિતજીની વાત બિલકુલ ન ગમી. એ તરત જ ઊભા થયા. પોતાને માથે પહેરેલી ટોપી કાઢીને બોલ્યા, "પંડિતજી, મારા માથે ટાલ છે. ત્યાં એક પણ વાળ ઊગતો નથી. તો એનો અર્થ એવો કે મારે મારુ મસ્તક કપાવીને ફેંકી દેવાનું ?

મતલબ સ્પષ્ટ છે... સરહદ એ ગમે તે હોય, ગમે તેવી હોય. તેના ઉપર ચર્ચા ન હોઈ શકે - તેની તો હિફાજત અને સુરક્ષા જ કરવાની હોય. ‘બાઉન્ડ્રીઝ આર નોટ ડિબેટેડ, ઇટ્સ ઓન્લી ડિફેન્ડેડ !’

Nov 7, 2013

અંધકાર અને અજવાસ

અંધકારે એક વાર પરમાત્માને ફરિયાદ કરી : ‘પ્રભુ ! પ્રકાશ મને જંપવા દેતો નથી. હું જ્યાં જાઉં ત્યાં આવીને મને હાંકી કાઢે છે, હું ક્યાંય શાંતીથી રહી જ શકતો નથી.’

પ્રભુએ જોયું - અંધકારની ફરિયાદમાં વજૂદ છે. રોજ રાત પડે અવની પર અંધકાર ઊતરી આવે છે અને તરત જ થોડીવારમાં પ્રકાશનો ઉદય થાય છે. અંધકાર સ્થિર થાય, ન થાય એ પૂર્વે જ પ્રકાશ તેને હાંકી કાઢે છે. હજારો, લાખો, વરસોથી આમ પ્રકાશે, અંધકારને ક્યાંય સ્થિર થવા નથી દીધો.

‘વત્સ ! તારી વાત સાચી છે.’ પ્રભુએ કરુણાભર્યંુ હસીને કહ્યું : ‘જા, તું પ્રકાશને મારી પાસે લઈ આવ. હું એને જરૂર કહીશ.’ પ્રભુએ પોતાની વાત સાંભળી છે એ જાણીને પ્રસન્ન થયેલા અંધકારે પ્રકાશને પકડીને પ્રભુ પાસે રજૂ કરવા હર્ષભેર દોટ મૂકી. પણ પ્રકાશના સામ્રાજ્યના સીમાડે પગ દેતા વેંત ખુદ અંધકારનું વિલોપ્ન થઈ ગયું. અંધકાર ઓગળી ગયો.

હારેલા, થાકેલા અંધકારે પ્રકાશને પકડવા માટે બીજી દિશામાંથી દોટ મૂકી. બીજી દિશામાંય એના તો એ જ હાલહવાલ થયા. જેવો પ્રકાશનો પ્રદેશ આરંભાય કે સ્વયં અંધકાર પ્રકાશમય બની જાય. જેવું અંધકારનું આત્મવિલોપ્ન થાય કે તરત જ પેલી ફરિયાદ, પ્રકાશ પ્રત્યેની અસૂયા અદ્શ્ય થઈ જાય. પ્રકાશના પ્રદેશમાં ન તો કોઈ ફરિયાદ રહે, ન કોઈ અસૂયા. આવું વર્ષોથી ચાલ્યું આવે છે, જે પ્રકાશ પાસે જાય એ પ્રકાશમય બની જાય છે. ખુદ અંધકાર પણ.

કથાનો સાર સ્વયંસ્ફૂટ છે. મુશ્કેલીઓ, આફત, અડચણોનાં અંધારા ગમે તેટલા હોય. એક વખત પ્રકાશની પાસે પહોંચીશું તો બધું જ અજવાળાસભર બની જશે. દીપોત્સવ પ્રકાશનું પર્વ છે. ભીતર - બહાર બધે જ પ્રેમ, કરુણા અને મમતાના દીપ પ્રગટાવી અંધારા પર વિજય મેળવીએ... અજવાસનો ઉલ્લાસ વેરીએ.

Oct 10, 2013

માણસ સમત્વ ખૂવે છે ત્યારે...

મહાભારતનો આ પ્રસંગ છે.

ગુરુ દ્રોણાચાર્યના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. તેઓ સ્વભાવે બ્રાણ હતા.

એક દિવસ તેમના દિલમાં ગાય મેળવવાની ઇચ્છા જન્મી. તેમના દિલમાં થયું કે રાજા પાસે જઈને માગી લાવું.

તેઓ રાજા પાસે પહોંચ્યા. તેમનો સ્વભાવ ચૂક્યા; કારણ કે, બ્રાણે તો જે કંઈ સહજ રીતે આવી મળે તે વડે જ જીવન ગુજારવું જોઈએ.

રાજા દ્રુપદ વિચારક હતા. તેમને થયું : બ્રાણ થઈને આચાર્ય દ્રોણ માગવા કેમ આવ્યા ? તેમને લાગ્યું કે તે ધર્મ ચૂકે છે એથી તેમનું તેજ ઘટશે, અને એનું નિમિત્ત હું બનીશ; એટલે તેમણે દ્રોણાચાર્યને ગાય ન આપી.

દ્રોણને આથી ખૂબ રીસ ચડી. ઘેર આવ્યા પછી સંકલ્પ કર્યો કે આનું વેર લઉં ત્યારે જ બ્રાણ સાચો !

દિવસો જવા લાગ્યા. તેમણે પાંડવોને વિદ્યા આપવા માંડી. પણ એની પાછળ પણ પેલો ક્રોધ જ પડેલો હતો, એટલે પાંડવો જ્યારે ભણીગણીને પારંગત થયા ત્યારે દક્ષિણામાં પણ દ્રુપદને પકડી લાવવાની માંગણી કરી.

વેર આટલાથી પણ ન અટક્યું.

કુરુક્ષેત્રમાં પોતાનો પુત્ર હણાયો ત્યારે નિરાશ બની તેમણે હથિયાર હેઠાં મૂકી દીધાં, અને અર્જુનનો પુત્ર અભિમન્યુ જ્યારે હણાયો ત્યારે બમણા જોરથી લડ્યા. મતલબ કે સમત્વ ગુમાવી દીધું. એટલું જ નહિ, ‘અર્થસ્ય દાસ:’ બનીને અન્યાયના પક્ષમાં રહીને ન્યાયની સામે લડ્યા. માણસ સ્વભાવથી સહેજ વેગળો જાય છે અને સમત્વ ખૂવે છે ત્યારે કેટલું ભયંકર પરિણામ આવે છે તેનો આ તાદ્શ નમૂનો છે.

ભગતસિંહની અનોખી આખરી ઇચ્છા !

28 સપ્ટેમ્બર, ભગતસિંહની 106મી જન્મ-જયંતી. આ મહાન શહીદે ફાંસીના ફંદાને ચુમતા પહેલાં એક અનોખી ઇચ્છા વ્યક્ત કરી હતી એ વાત અહીં રજૂ કરીએ છીએ.

જેલ પ્રણાલિ મુજબ જેલરે ભગતસિંહને પૂછ્યું હતુ કે, ‘તમારી અંતિમ ઇચ્છા શું છે ?’ ત્યારે ભગતસિંહે કહેલું, ‘મારે બેબેના હાથનું ભોજન લેવું છે !’ ભગતસિંહ પોતાની માને બેબે કહેતા હતા. જેલરે કહ્યું, ‘હું તમારા ઘરે કોઈને મોકલી સંદેશો પાઠવી દઉં છું.’ ભગતસિંહે કહ્યું, ‘મારી બેબે તો અહીં જેલમાં જ છે.’ જેલરને કંઈ સમજાયું નહીં. તેણે આશ્ર્ચર્યથી પૂછ્યું, ‘ક્યાં છે ? કોની વાત કરો છો તમે ?’ ભગતસિંહે ફોડ પાડતાં કહ્યું, ‘બોઘા એ મારી બેબે છે, મારી મા છે.’ બોઘા એ વ્યક્તિ હતો જે ભગતસિંહની જેલ-કોટડીનું ટોઈલેટ સાફ કરતો હતો અને ભગતસિંહે પોતાનું આખરી ભોજન પોતાનું ટોઈલેટ સાફ કરનારા સફાઈ કામદારના હાથે લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

પણ બોઘા સાંજનું વાળુ લઈને જાય એ પહેલાં તો ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીના માંચડે લટકાવી, એમની લાશોના ટુકડા કરી સતલજ નદીમાં ફેંકી દીધેલા.

આ મહાન શહીદની આ અનોખી આખરી ઇચ્છા પણ અધૂરી રહી ગઈ હતી.

Sep 21, 2013

ગોત્રનો ગર્વ

એક વાર મુનિઓમાં ચર્ચા ચાલી કે મુનિ હોવા છતાં શરીર છૂટતું નથી, તો પછી ગોત્ર કેવી રીતે છૂટી શકે ?

આ વાત ભગવાન મહાવીર સુધી પહોંચી.

ભગવાને મુનિકુળને બોલાવી કહ્યું : ‘આર્યો ! તમે સર્પની કાંચળી જોઈ છે ?’

‘હા, ભગવન્, જોઈ છે.’

‘આર્યો ! તમે જાણો છો, એથી શું થાય ?’

‘ભગવન્, કાંચળી આવવાથી સર્પ અંધ બની જાય છે.’

‘આર્યો ! કાંચળી છૂટી જવાથી શું થાય છે ?’

‘ભંતે ! એ દેખવા લાગે છે.’

‘આર્યો ! આ ગોત્ર પણ મનુષ્યના શરીર પર લાગેલી કાંચળી છે. એથી માણસ અંધ બની જાય છે. સારાસારનો વિવેક એ કરી શકતો નથી. એ છૂટી જવાથી માણસ ફરી દેખતો થાય છે. આ કારણે હું કહું છું કે, સર્પ જેમ કાંચળીનો ત્યાગ કરે છે તેમ, મુનિએ ગોત્રનો ત્યાગ કરવો. એ ગોત્રનો મદ ન કરે, ન કોઈનો તિરસ્કાર કરે.’

Samay, Satta, Sampatti ane Sharir

Samay, Satta, Sampatti ane Sharir...
sada saath aapta Nathi,
pan Swabhav, Samajdari, Sneh ane Shacho DOST sada sath aape 6e

Sep 5, 2013

પ્રમાણપત્ર

એક વખત પ્રખ્યાત રૂસી લેખક ટાલ્સ્ટાયને એમના એક મિત્રે પૂછ્યું : ‘મેં તારી પાસે માણસ મોકલ્યો’તો, તેની પાસે ઘણાં પ્રમાણપત્ર હતાં, પરંતુ તેં એને નાપસંદ કર્યો. મેં એવું જાણ્યું છે કે તેં એક એવા માણસની પસંદગી કરી છે, જેની પાસે એકે પ્રમાણપત્ર નહોતું. એવો તે કયો મોટો ગુણ એનામાં હતો કે તેં મારી વાતની અવગણના કરીને એની નિમણૂક કરી ?’

ટાલ્સ્ટાયે કહ્યું : ‘દોસ્ત, જેની મેં નિમણૂક કરી છે એની પાસે અમૂલ્ય પ્રમાણપત્રો હતાં. એણે મારા ઓરડામાં પ્રવેશતાં પહેલાં પરવાનગી માગી. પછી એના પગને એણે બાજુમાં પડેલા પગલૂછણિયા પર સાફ કર્યા. એનાં કપડાં સામાન્ય હોવા છતાં ચોખ્ખાં હતાં. બેસતા પહેલાં એ ખુરશી સાફ કરીને બેઠો. એનામાં આત્મવિશ્ર્વાસ હતો. મારા દરેક સવાલનો એણે સાચો અને ધૈર્યપૂર્વક જવાબ આપ્યો. મારા સવાલો પૂરા થયા પછી શાંતિથી મારી સંમતિ માગી, તે ઊઠીને ચાલ્યો ગયો. એણે કોઈપણ પ્રકારની ચાપલૂસી કે ભલામણની કોશિશ નહોતી કરી. આ ગુણોને કારણે મેં એને પસંદ કર્યો. આ એવાં પ્રમાણપત્રો હતાં જે બહુ થોડા માણસો પાસે જોવા મળે છે. આવા ગુણવાન માણસો પાસે લેખિત પ્રમાણપત્રો ન પણ હોય તોયે કંઈ વાંધો નહિ !’

Aug 25, 2013

કલ્પવૃક્ષ

એક વાર બનવાકાળ એવું બન્યું કે એક વટેમાર્ગુ થાક્યોપાક્યો એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠો. વૃક્ષ કલ્પવૃક્ષનું હતું. વટેમાર્ગુ ભૂખતરસથી વ્યાકુળ હતો. એને થયું : ‘અહીં કોઈ માનો લાલ પાણી લાવી આપે તો કેવું!’

વિચાર આવતાં વાર જ સામે ચાંદીની ઝારીમાં પાણી આવીને હાજર ! પાણી પીને તૃપ્ત થયો એટલે વિચાર આગળ ચાલ્યો : ‘પાણી તો મળ્યું, પણ જો ખાવાનું મળી જાય તો કેવી મજા !’

ત્યાં તો સોનાની થાળીમાં ખાવાનું પણ હાજર.

પેટભર ખાધું કે વિચાર આવ્યો, જરા આડા પડવા ફક્કડ આરામદાયક બિછાનું મળી જાય તો ભયો ભયો !

ત્યાં તો સુંદર મચ્છરદાનીવાળું હવાથી ફરફરતું બિછાનું હાજર થઈ ગયું. આડો પડ્યો એટલે દિમાગમાં શેતાની ચરખો ચાલુ થયો. કહેવતમાં કહ્યું છે ને કે, ‘ખાલી મગજ શેતાનનું કારખાનું !’ આને વિચાર આવ્યો કે નક્કી કોઈ ભૂતની કરામત લાગે છે. ક્યાંક એ આવી ચડે તો ! અને વિચાર આવવાની જ વાર હતી, ભૂતમહાશય હાજર થઈ ગયા. વિકરાળ દાંતવાળો ને ઠેઠ આકાશ સુધી પહોંચતો લાંબો ને પહોળો. પેલો ગભરાયો.

‘અરે બાપ રે ! ક્યાંક મને કોળિયો કરી ગયો તો !’

બસ એટલી જ વાર હતી, ભૂત એનો કોળિયો કરી ગયો. વટેમાર્ગુની જીવનવાટ પળમાં પૂરી થઈ ગઈ.

આમેય ભોગવિલાસ ને સમૃદ્ધિ મગજમાં શેતાનનો ચરખો ચાલુ કરે છે, પણ પરસેવો પાડ્યા વગરની સુખસાહ્યબી ને ભોગવિલાસ તો એના ભોગવનારને જ ભરખી જાય છે. માટે શ્રમ ને સાદું જીવન એ આધ્યાત્મિક અને ઉન્નતિકારક મૂલ્યો કહેવાયાં છે, વિલાસિતા નહીં. માફકસરનું સુખ જ માનવ હજમ કરી શકે છે, સમાજના સ્વાસ્થ્ય માટે પણ એ જ જરૂરી છે.

Aug 21, 2013

જીવનનું સત્ય

સિકંદર જે દિવસે મર્યો તે દિવસે રાજધાનીમાં તેની શબવાહિની જે રીતે નીકળી એ જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા.

તેના બંને હાથ ઠાઠડીની બહાર લટકેલા હતા. લોકો પૂછવા લાગ્યા કે સિકંદરના હાથ બહાર કેમ લટકેલા છે ? કારણ કે, કદીય કોઈના હાથ ઠાઠડીની બહાર લટકેલા જોવામાં નથી આવ્યા. સિકંદરની આ અર્થી સાથે કંઈ ભૂલ થઈ ગઈ છે ? પરંતુ આ કંઈ કોઈ ભિખારીની અર્થી ન હતી કે ભૂલ થઈ જાય ! આ તો સિકંદરની અર્થી હતી ! હજારો સમ્રાટ આવ્યા હતા. મોટા મોટા સેનાપતિઓ આવ્યા હતા. મોટા મોટા સમ્રાટોએ કાંધ આપી હતી. સૌના મનમાં પ્રશ્ર્ન હતો કે હાથ બહાર કેમ લટકે છે ? પછી દરેક માણસ એ જ પૂછવા લાગ્યો. છેક સાંજ પડતાં લોકોને ખબર પડી કે સિકંદરે મરતાં પહેલાં પોતાના મિત્રોને પોતાની અર્થી નીકળે ત્યારે પોતાના હાથોને બહાર લટકતા રાખી દેવા માટે કહ્યું હતું. ત્યારે મિત્રોએ પૂછ્યું હતું :

‘કેવી વિચિત્ર વાત કરો છો ! કોઈનાય હાથ ક્યારેય અર્થીની બહાર લટકેલા જોયા છે ?’

સિકંદરે જવાબમાં કહ્યું હતું : ‘પણ હું એમ ઇચ્છું છું કે બધા લોકો જોઈ લે કે સિકંદરના હાથ પણ ખાલી છે. જિંદગીભર દોટ મૂકીને, બહાર બધું શોધીને પણ હાથ ભરી શક્યો નથી. હાથ ખાલી જ રહી ગયા છે. સિકંદર જેવા સિકંદરના હાથ પણ ખાલી ને ખાલી જ જાય છે.’

આપણા બધાના હાથ પણ ખાલી જ રહી જશે. બહાર કોઈ કંઈપણ નથી મેળવી શક્યો. આશા વધતી જાય છે કે બહાર કંઈક મળી જશે. જીવન વીતી જાય છે, અને આશા નિરાશા બની જાય છે. એક પણ વ્યક્તિએ એમ નથી કહ્યું કે આજ સુધી મેં શોધ્યું અને બહાર મળી ગયું. અને જેમણે અંદર શોધ કરી છે તેમાંના કોઈએ એમ નથી કહ્યું કે મેં અંદર શોધ્યું અને મને ન મળ્યું.

Jul 28, 2013

ગુરુ - શિષ્ય પરંપરાના જ્યોતિપુંજ !

નરેન્દ્ર દત્ત પારસમણિશા ગુરુદેવ રામકૃષ્ણની પરમકૃપાથી સંયુક્ત રાજ્ય અમેરિકા(યુ. એસ. એ.)ની વિશ્ર્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ - એ હિન્દુ મંક આફ ઈન્ડિયા - એક ભારતીય સંન્યાસી તરીકે અપૂર્વ ખ્યાતિ પામ્યા. આ સંદર્ભમાં જ્યારે સ્વામીજીને પુછવામાં આવ્યું કે : આપ્ને આવી વિરલ સફળતા પ્રાપ્ત થઈ તેનું શું રહસ્ય છે ? વિવેકાનંદજીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું : ‘મેં જે વિચારો અહીં પ્રગટ કર્યા તે મારા વિચારો નથી. એ માટે તો મારા ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ (કે જેમણે કોઈ શાળા - કાલેજમાં ઔપચારિક શિક્ષણ મેળવ્યું નહોતું)ની મારા ઉપરની પરમકૃપા જ કારણભુત છે.’ ગુરુદેવ રામકૃષ્ણે તેમના અંતિમ દિવસોમાં તેમની તમામ આધ્યાત્મિક ઉર્જાનો શક્તિપાત નરેન્દ્રમાં કર્યો હતો અને તેનાથી નરેન્દ્રનું ‘વિવેકાનંદ’માં રૂપાંતર થયું હતું. ગુરુ પોતાનું સર્વસ્વ શિષ્ય માટે ન્યોછાવર કરે છે. પોતાનો શિષ્ય પોતાના કરતાં સવાયો બને તેવી અંતરની શુભકામના દાખવે છે. શિષ્ય પણ ગુરુનો ગુરુપદે સ્વીકાર કરતાં પહેલાં ગુરુને સંપૂર્ણપણે નાણી જુએ છે, પણ એકવાર ગુરુપદની ગરિમાની અનુભૂતિ થાય કે પછી શિષ્ય પૂર્ણ સમર્પણથી ગુરુચરણને હૃદયમાં સંસ્થાપિત કરે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ - શિષ્યનો સંબંધ અનિર્વચનીય અને અનુપમેય છે - રામકૃષ્ણ - વિવેકાનંદ પણ આવી જ વિરલ પરંપરાના જ્યોતિપુંજશા ભારતીય અધ્યાત્મ જગતને આલોકિત કરી રહ્યાં છે !

Jul 25, 2013

Scientific Reason behind Indian Punishment :

Remember the ‘good’ old Indian school punishments? Holding the earlobes with arms crossed over your chests, bending the knees and then sit and then stand and so on till the time Masterji is saying?

Ever thought why the traditional Indian school teachers would give this particular punishment? I believe even majority of the teachers who grant this punishment to their students do not know the reason behind it. This form of punishment has been in practice in our country since the Gurukul time and was given to the students who were weak in studies. That is a different question if now a days teachers grant this punishment for any mistake and not only for studies but originally it was meant for weak students only.
Talking about the logic behind this punishment, it is very interesting to know that this particular posture increases the blood flow in the memory cells in brain and synchronizes the right and left side of the brain to improve function and promote calmness, stimulates neural pathways via acupressure points in the earlobe, sharpens intelligence and also helps those with autism, asperger’s syndrome, learning difficulties and behavioral problems.

Probably we have forgotten this ancient method of increasing memory power but the West is now using is very diligently and they are recommending this posture or exercise to treat many a diseases.

બાળકના ઘડતરમાં માતાની ભૂમિકા

જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે ત્યારથી તેનુ જીવન બદલાઈ જાય છે. તેનુ પૂરું ધ્યાન બાળક તરફ રહે છે. બાળકના શારીરિક, માનસિક અને સામાજિક ઘડતરમાં માતાની ભૂમિકા અતિ મહત્ત્વની બની રહે છે. બાળકમાં સર્જનાત્મકતા ખિલે, મુક્તપણે રમી શકે તેવુ વાતાવરણનું નિર્માણ માતા કરે છે. બાળકને ક્યારે કઈ વસ્તુની જરૂરિયાત છે, તે માતા સારી રીતે સમજી શકે છે. તે ખૂબ જ ધીરજપૂર્વક બાળકના વિકાસમાં વિશિષ્ટ ભૂમિકા ભજવે છે.

બાળકની ટેવો, વર્તન, રસ-રુચિના વિકાસમાં તેની માતા ખૂબ જ ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવુ પડે છે. બાળકના કાર્યો, વિવિધ અવાજો દ્વારા વ્યક્તિની ઓળખ, વિવિધ પરિસ્થિતિમાં તેની લાગણીને માતા નિરીક્ષણ દ્વારા સમજી શકે છે. માતા એ જ બાળકની પ્રથમ શાળા છે. બાળકમાં આત્મવિશ્ર્વાસનું ઘડતર માતા જ કરે છે.

બાળકના ઘડતરની શરૂઆત ગર્ભાવસ્થાથી જ શરૂ થઈ જાય છે. માતા આ અવસ્થા દરમિયાન શું વાંચે, સાંભળે અને જુએ છે ? તેની અસર બાળકના ઘડતર પર ચોક્કસ થાય છે. બાળકના જન્મ પછી માતાએ બાળકના વિકાસના વિવિધ તબક્કાઓ તેમજ પાયાની લાક્ષણિકતાઓથી માહિતગાર થવું જોઈએ. જે તેને બાળકના યોગ્ય વિકાસ અને બાળક સાથેના વ્યવહારમાં મદદરૂપ થઈ શકે છે. માતા તરીકે બાળકના ઉછેરમાં તેનો સ્વભાવ, ટેવોથી માહિતગાર થવું જોઈએ. જે સમાજ, સંસ્કૃતિ, કુટુંબમાંથી માતા આવતી હોય તેની અસર બાળક પર ચોક્કસ પડે છે. પોતાની સંસ્કૃતિ અને સમાજ મુજબ બાળક પાસેની અપેક્ષાઓ રહે છે, તે મુજબ શિક્ષણની પ્રક્રિયા આગળ વધે છે. બાળકનો ઉછેર જે વાતાવરણમાં થાય છે તે તેના ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવે છે. હકારાત્મક વાતાવરણ બાળકનું હકારાત્મક ઘડતર કરે છે. માતા તરીકે બાળકને ઉત્તમ કક્ષાનું વાતાવરણ પૂરું પાડવું જોઈએ. અમુક ઘરમાં પતિ-પત્નીના ઝઘડાઓ, વ્યસની સભ્યો, ગુનેગાર વ્યક્તિઓ જેવી પરિસ્થિતિઓ બાળકના કુમળા માનસ પર નકારાત્મક અસર કરે છે. માતાએ ખૂબ જ કુનેહથી આવી અસરો ન પડે તેની કાળજી લેવી જોઈએ.

ઘણી માતાઓ બાળ ઉછેરની મહત્ત્વની ભૂમિકા અદા કરવામાં નિષ્ફળ જાય છે. માતાએ વધુ ને વધુ સમય બાળક સાથે વિતાવવો જોઈએ. જે માતા-પિતા બાળકને વધુ સમય આપી શકતા નથી, તેવા બાળકો ગુનાખોરી, વ્યસન, આત્મહત્યા, ઘરેથી ભાગી જવુ, માતા-પિતાના કહ્યામાં ન રહેવુ ના માર્ગે ચડી જાય છે. તેનાથી સામાજિક અધ:પતન થાય છે. ખૂબ મોડું થઈ જાય તે પહેલાં બાળકને સામાજિક, ધાર્મિક સંસ્કારો આપવા જોઈએ. સમાજમાં અનેક લાલબત્તી સમાન કિસ્સાઓ પ્રકાશમાં આવ્યે રાખે છે.

બાળકનો શૈક્ષણિક વિકાસ તેને ઘરમાંથી મળતા પ્રોત્સાહન, પ્રસંશા અને નૈતિક ટેકાને આધારિત હોય છે. માતા-પિતાએ પોતાનો ગુસ્સો બાળક પર ઉતારવો ન જોઈએ. આમ કરવાથી બાળકનો સામાજિક વિકાસ રુંધાય છે. જે માતા પોતાના બાળકની જરૂરિયાત, ઇચ્છાઓ, અપેક્ષાઓ પ્રત્યે સંવેદનશીલ ન હોય તો તેની અસર બાળકના વિકાસ પર પડે છે. માતાએ બાળક પ્રત્યે તંદુરસ્ત વ્યવહાર કરી તેને શ્રેષ્ઠ બાળક બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. જે માટે માર્ગદર્શક ટીપ્સ અહીં આપી છે. તેને અજમાવી જુઓ.
બાળક જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેની જરૂરિયાતથી વાકેફ થવુ જોઈએ. તેને માત્ર ખૂબ જ પ્રેમની વધુ જરૂર હોય છે.
બાળકના સર્વાંગી વિકાસ માટે એક માતા સંવેદનશીલ, સમજુ અને બાળ ઉછેરની જરૂરી પદ્ધતિઓથી જાણકાર હોવી જોઈએ.
બાળકના ધ્યેય વિચાર, અપેક્ષાઓ મુજબનું વાતાવરણ પૂરું પાડવું જોઈએ.

આમ, સમાજમાં માતા અને બાળકના સંબંધો સર્વ શ્રેષ્ઠ હોય છે. જોકે માતા ઘરકામ કરતી હોય કે નોકરી કરતી હોય, પોતાના બાળકને સારો નાગરિક બનાવવામાં પોતાની જવાબદારી ખૂબ સારી રીતે સમજી નિભાવવી જોઈએ. તેથી શિવાજી, ગાંધીજી જેવા મહાન સપૂતોનું નિર્માણ કરી શકાય.

પ્રેરકબિંદુ : એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે.

Jul 19, 2013

જીવ્યું લેખે લાગ્યું

સંતોની દુનિયાને દેશ-પરદેશ કે સીમ-સીમાડાની કેદ હોતી નથી. ભગવાનના કે ભગવાનના ભક્તોના ગુણ ગાતાં સ્થળ-કાળ જુએ કે થાકે-કંટાળે એ ભક્ત શેનો ? એ વ્યવસાયમાં વીતે તેટલો વખત જ લેખે, બીજો બધો કાલક્ષેપ અલેખે, એ એક જ હિસાબ સાચો છે, બીજી બધી આળપંપાળ છે.

એક સત્સંગીને મોઢે સાંભળેલી આ વાત છે.

એક ગામે કોઈ નવું ખેડૂતકુટુંબ વસવાટને ઇરાદે હળ-ઓજાર, ઘરવખરી લઈને આવ્યું. ગામભાગોળે તળાવની પાળે હારબંધ પાળિયા. દરેક ઉપર મરનારનું નામ અને આયુષ્યની અવધિ નોંધેલી છે. છ-બાર માસ, વરસ-બે વરસ; ત્રણ-ચાર વરસથી વધુ કોઈ નહીં !

ગામલોકો આટલા બધા અલ્પાયુષી ? કુટુંબે વસવાટનો નિર્ણય તત્કાળ ફેરવ્યો ને ગાડાં જોડી પાછાં જવા નીકળ્યાં.

ગામના ઘરડેરાઓએ આ જોયું ને પાછા વાળવા માણસ દોડાવ્યો, તે કુટુંબના મુખીને પાછો વાળી લાવ્યો.

‘કાં ? કેમ પાછા વળ્યા ? અમારો કાંઈ વાંકગુનો ?’

‘મા’જન, પાળિયા જોયા પછેં મન નો માન્યું. જે ગામમાં કોઈ પાંચ વરસેય નો જીવે, ત્યાં છોરુંવાછરું સોતાં રે’ણાંક કેમ કરીને કરાવો ?’

‘ભેરુ, તમે નો સમજ્યા. અમારું ગામ છે સત્સંગી. નારાયણને સંભારીએ એટલું જ જીવ્યું લેખે, બાકીનું અમે અલેખે ગણીએ. એટલે સૌ રોજરોજના નામકીર્તનની ઘડી નોંધે, ને મરે ત્યારે એટલું જ જીવ્યો એમ લખાય. ઈ નોંધ પાળિયા ઉપર છે. આ હૈયે બેસતું હોય તો તમતમારે નિરાંત જીવે ગાડાં પાછાં વાળો ને આવો.’

પેલાં પાછાં આવ્યાં ને જાતમહેનતે જીવી સત્સંગે ભવ તર્યાં.

Jul 3, 2013

કામનાઓ સામે સતત સાવધાન રહીએ

સવાર-સાંજ બે-પાંચ માળા ફેરવી એટલે જાણે બહુ મોટું પરાક્રમ કર્યું એમ ન માનશો. હરતાં-ફરતાં, બોલતાં-ચાલતાં, જાણ્યે-અજાણ્યે અનેક પાપ થઈ જતાં હોય છે. એટલે જ તો ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ હૈયું ખોલતાં અર્જુને કહ્યું હતું : ‘મારી ઇચ્છા નથી હોતી કે હું ખોટું કામ કરું. છતાં, બળપૂર્વક મારી પાસે ખોટું કામ કોઈ કરાવે છે અને આપ્ની પાસે રહેવા છતાં હું ખોટા કામમાં ઘસડાઈ જાઉં છું.’

ત્યારે ભગવાને કહ્યું હતું કે, ‘અર્જુન, વ્યક્તિ જો સજાગ હોય તો, દુનિયાની કોઈ તાકાત એની પાસે દબાણથી કશું કરાવી શકતી નથી. નાના બાળકને જબરદસ્તીથી દૂધ પણ પાઈ શકાતું નથી; તો પછી મનની પાસે જબરદસ્તીથી કશુંય કરાવી શકાય એ શી રીતે બને ? ખરી વાત એ છે કે માનવીનું મન ગાફેલ બનીને બૂરાઈમાં જોડાઈ જાય છે અને કામનાઓમાં ઘસડાઈ જાય છે. એટલે એને એમ લાગે છે કે એની ઉપર જબરદસ્તી થઈ. માનવીનું મન જો સતત સાવધાનતા રાખી શકે અને કામનાઓના વેગને કાબૂમાં રાખી શકે, તો મનને માટે ઘસડાઈ જવાનો કે જીવનને માટે ખોટાં કામો પરાણે કરવાં પડવાનો સવાલ જ ઊભો ન થાય.’ એટલે કે જીવનમાં જાણ્યે-અજાણ્યે થતાં પાપથી બચવાનો એકમાત્ર ઉપાય કામનાઓ સામેની સતત સાવધાની છે. આ સાવધાની સતત સાધના-પ્રયત્ન વડે જ સંભવી શકે છે.

Jun 10, 2013

તમારો રોલ પૂરો થઈ જાય એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે!

નાટકના એ કલાકારે સરસ વાત
કરી. તેણે કહ્યું કે, નાટકમાંથી એક જ વસ્તુ
હું શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાય
એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે!
આપણે કંઈ છોડતાં નથી એટલે જ દુઃખી થઈએ છીએ.
આપણને ઘણી વખત તો ખબર જ નથી પડતી કે
આપણો રોલ ક્યાં પૂરો થાય છે..!!

લક્ષ્મીને પણ સૂંઘીને લેતાં શીખીએ

આપણે બજારમાં ઘી કે તેલ લેવા જઈએ છીએ ત્યારે લેતાં પહેલાં સૂંઘીએ છીએ. કેરી કે અગરબત્તીની પણ સોડમ લઈએ છીએ; માટલાં લેવા જઈએ તો પણ ટકોરા મારી મારીને ખરીદીએ છીએ. આમ, આપણે જે કંઈ ટકોરા મારીને ખરીદીએ છીએ તેને જ ઘરમાં લાવીએ છીએ. પણ, આપણે આપણા ઘરમાં જે કંઈ લક્ષ્મી લાવીએ છીએ, તેને નથી સૂંઘતા, નથી ચકાસતા કે નથી ટકોરા મારતા ! એ તો ગમે તેટલી, ગમે ત્યાંથી, ગમે તે રીતે આવી હોય તોય કશો વાંધો જ નહીં !

વસ્તુત: એક એક કણની જેમ એક એક પૈસો જે કમાઈએ તેને પૂછતાં શીખો કે તે ક્યાંથી, કેવી રીતે આવ્યો ? નીતિથી, પ્રામાણિકતાથી, ધર્મથી આવેલો છે કે કેમ એ સૂંઘતાં શીખો. આપણને એ તો ટેવ જ નથી. જે કમાયા તે ચપ દઈને ઘરમાં ન ઘાલીએ. ને લક્ષ્મીને પણ સૂંઘીને લેતાં શીખીએ તો, સુખ જ સુખ થઈ જશે.

Jun 7, 2013

પાત્રતા

મંદિરમાં પ્રભુની સુંદર પ્રતિમા હતી. હજારો લોકો આરસના શ્ર્વેત પગથિયાંની છાતી પર પગ મૂકીને મૂર્તિનાં દર્શન કરવા જતાં. આથી પગથિયાંનું મન ભરાઈ આવ્યું. ત્યાં એક કવિએ એના ઉપર પગ મૂક્યો અને એને ડૂસકું સંભળાયું. સહાનુભૂતિપૂર્વક કવિએ પૂછ્યું તો પગથિયાએ કહ્યું : ‘એક જ ખાણમાં હું અને આ પ્રતિમા જન્મ્યાં. અમે બંને એક જ શિલાના બે ટુકડા છીએ. છતાં દુનિયા આજે એના પગમાં પડે છે અને મને ઠેબે ચઢાવે છે. મારી છાતી ઉપર લોકો મેલા અને ગંદા પગ મૂકે છે અને એને ફૂલથી શણગારે છે. આ તેજોવધથી ઈર્ષા અને અદેખાઈ ન થાય ?’

કવિએ હસીને કહ્યું : ‘તમે એક જ શિલાનાં બે સંતાન, પણ જ્યાં બારીક કારીગરીનો પ્રસંગ આવ્યો ત્યાં તું બટકી ગયું, પણ પેલાએ તો ટાંકણાં સહીને પણ અંદરનું સૌંદર્ય જ પ્રગટાવ્યું.

‘જે જીવનમાં સહન કરીને કસોટીમાંથી પાર ઊતરી જાય છે, તે પ્રભુ બની જાય છે. જે સહન કરી શકતો નથી તે પગથિયાનો પથ્થર બની પછડાય છે. ‘તારે રડવું જ હોય તો જગતના અન્યાય સામે નહિ, તારી અપાત્રતા સામે રડ, પાત્રતા હશે તો જ પ્રેમ-પુષ્પોની વૃષ્ટિ થશે.

Jun 1, 2013

આજથી મનોમન આ વાત નક્કી કરી લો

આજથી મનોમન આ વાત નક્કી કરી લો

1. એટલા મક્કમ બનજો કે કોઇ પણ ઘટના તમારી માનસિક શાંતિ હણી ના શકે

2. જેને-જેને મળો એ બધા સાથે વાતોનો વિષય સુખ,સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ હોય

3. તમારા મિત્રોને એવી અનુભૂતિ કરાવો કે એમની અંદર કૈંક છે.

4. દરેક બાબતની સારી બાજુ નિહાળજો અને તમારા આશાવાદને સાચો પાડવા કોશિશ કરજો

5. ફક્ત શ્રેષ્ઠ બાબતો જ વિશે વિચારજો, ફક્ત શ્રેષ્ઠ બાબતો પર જ કામ કરજો, અને ફક્ત શ્રેષ્ઠની જ અપેક્ષા રાખજો.

6. બીજાની સફળતા માટે એટલા જ ઉત્સાહી રહેજો જેટલા તમે તમારી સફળતા માટે હો.

7. ભુતકાળની ભૂલો ભુલી જઇને ભવિષ્યની વધુ મોટી સિદ્ધિઓ માટે કામે લાગી લજો.

8. તમારા સ્વ-વિકાસમાં એટલા રચ્યા-પચ્યા રહો કે બીજાની કુથલી કરવા માટે તમારી પાસે સમય જ ના હોય

9. ચિંતા હણી ના શકે એટલા વિશાળ બની જજો, ક્રોધ સવાર ના થઇ શકે એટલા ઉમદા બની જજો

10. ભય સતાવી ના શકે એટલા શક્તિશાળી બની જજો અને વિપદાઓ નજીક ફરકી ના શકે એટલા પ્રસન્ન રહેજો!

May 31, 2013

ઈશ્ર્વરેચ્છા

ભારતના પ્રાચીન ઇતિહાસમાં સુંદ અને ઉપસુંદ નામે બે રાક્ષસ ભાઈઓની વાત આવે છે. આ બે ભાઈઓ બહુ બળવાન હતા. તેમને એવું વરદાન હતું કે આ દુનિયામાં કોઈ તેમને મારી શકે નહિ. હજારો વર્ષ પહેલાં આ બનેલું છે. તેમની પાસે ઘણાં ઘાતક શસ્ત્રો હતાં અને તેના વડે તે ભાઈઓ જે કોઈ સામે મળે તેને મારતા, લૂંટી લેતા અને મારી પણ નાખતા. લોકો અને દેવતાઓ તેમનાથી બહુ ત્રાસી ગયા એટલે બધાએ ભેગા મળી ભગવાનને પ્રાર્થના કરવા માંડી. આને પરિણામે તેમની સામે વિષ્ણુ ભગવાન પ્રગટ થયા. લોકોએ તેમને પોતાના દુ:ખોની કથની કહી સંભળાવી, વિષ્ણુએ કહ્યું, ‘ચિંતા કરશો નહિ. હું તેમને જોઈ લઈશ.’

વિષ્ણુ ભગવાને અત્યંત સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું અને મોહિત કરી નાખે તેવી અત્યંત સુંદર તિલોત્તમા બની ગયા. આ તિલોત્તમા તે બંને ભાઈઓ પાસે ગઈ અને તે બંનેની વચ્ચે બેસી ગઈ. તેણે પ્રથમ એક ભાઈ તરફ જોયું પછી બીજા ભાઈ તરફ જોયું. પછી બંનેની વચ્ચે ઊભી રહી. હવે આ બે ભાઈઓએ બીજાઓને મારવા પીટવાનું બંધ કરી દીધું અને બંનેએ તે પરમ સુંદરી તિલોત્તમાને પરણવાની ઇચ્છા પ્રદર્શિત કરી. તિલોત્તમાએ પ્રત્યુત્તરમાં કહ્યું, ‘હું તમને બંનેને એક સાથે ન પરણી શકું. તમારામાંથી ગમે તે એકને પરણીશ.’

સુંદે કહ્યું, ‘હું તેને પરણીશ.’
ઉપસુંદે કહ્યું, ‘ના હું તેને પરણીશ.’

આમ કહીને તે બંને લડવા માંડ્યા અને અંતે બંનેએ એકબીજાને મારી નાંખ્યા. તિલોત્તમા જતી રહી.

ઈશ્ર્વરની ઇચ્છાને કોણ સમજી શકે? તે ક્યારે અને શું કરવાનો છે તે કોણ જાણી શકે ? માણસે તો શાંતિમય જીવન જીવતાં પરમ સત્ય રૂપ પરમાત્માને યાદ કરવાના છે.

May 16, 2013

કર્મના ચક્રની અનિવાર્યતા

ગણેશપુરીના મુક્તાનંદ બાબા મુંબઈમાં સાધના કરતા હતા ત્યારથી સાચી બનેલી ઘટના છે.

રામદાસ નામનું વહાણ એક દિવસ સવારે અગિયાર વાગે ઊપડવાનું હતું. બાબાએ આ વાત કરેલી. મારા રહેઠાણની બહાર મેં તે દિવસે વહેલી સવારે મોટો કોલાહલ થતો સાંભળ્યો, તેથી શું થયું છે તે જોવા હું બહાર નીકળ્યો. મેં જોયું તો એક બાઈ એક પુરુષને પકડીને ઊંચા સાદે ગાળો દેતી હતી. તે કહેતી હતી કે આ માણસે તેને ત્રણ મહિનાથી એક પૈસો પણ આપ્યો ન હતો. અને હવે એને મૂકીને નાસી જતો હતો. બાઈનો આ આક્ષેપ સદંતર જૂઠો હતો. પેલો માણસ સદ્ગૃહસ્થ હતો અને તે મારી પડોશમાં જ રહેતો હતો, પરંતુ તેના દુશ્મનોએ તેને અપમાનિત કરવા માટે આવું કાવતરું રચ્યું હતું. પોલીસે આવી તે બંને જણને પકડીને જેલમાં પૂરી દીધાં. પરિણામે પેલો માણસ વહાણમાં જવાનો હતો પણ જઈ ન શક્યો. તે સાંજે તે મને મળવા આવ્યો અને મારી પાસે ખૂબ રડીને શોક વ્યક્ત કર્યો. મેં તેને આશ્ર્વાસન આપ્યું, ‘ભાઈ, રડીશ નહીં. આમાં ઈશ્ર્વરનો જ કોઈ સંકેત હશે.’ ત્યાર પછી સાંજના પાંચ વાગતાં સમાચાર આવ્યા કે જે વહાણમાં તે જવાનો હતો તે વહાણ ઊંધું વળી ગયું હતું અને તેમાંના બધા માણસો ડૂબીને મરી ગયા હતા. ફક્ત આ માણસ જ તેમાં ગયો નહિ એટલે જીવતો રહ્યો. તે દોડતો મારી પાસે આવ્યો અને મને ભેટી પડ્યો. આ ઉપરથી જોઈ શકાશે કે કર્મની અસરોમાંથી કોઈ છટકી શકતું નથી, ભલે તેેં સારાં કર્મો હોય કે બૂરાં, આ માણસની મૃત્યુની ઘડી હજી આવી ન હતી. જ્યારે બીજાઓની ઘડી આવી ગઈ હતી તેથી જ આ દુર્ઘટના બની.

May 6, 2013

અપ્રતિમ સાધનશુદ્ધિ...!

વાત છે એક દેશી રજવાડાના સંનિષ્ઠ દીવાનની. એક વખત રાતને સમયે દીવાનને મળવા એમના અંગત સ્નેહીમિત્ર આવ્યા. દીવાન રાજ્યની વહીવટી બાબતોનું લખાણ કરતા હતા. એક મોટી મીણબત્તીના પ્રકાશમાં દીવાન લેખનકાર્ય કરતા હતા. સ્નેહીમિત્રને આવકાર્યા બાદ દીવાને સળગતી મીણબત્તી પાસે રહેલી બીજી મીણબત્તી લઈને તેને પ્રજ્વલિત કરી અને અગાઉની સળગતી મીણબત્તી બુઝાવી દીધી. સ્નેહીમિત્ર સાથે અંગત વાતચીત પૂરી કરી. સ્નેહીમિત્ર વિદાય થવા ઊઠ્યા કે તુરત જ દીવાને ફરીથી અગાઉની મીણબત્તી પ્રજ્વલિત કરી અને બીજી વખતની મીણબત્તી બુઝાવીને ઠેકાણે મૂકી ! પેલા સ્નેહીમિત્રને વારંવાર મીણબત્તીઓ બદલવાના અને પ્રજ્વલિત કરવાના દીવાનના કાર્ય વિશે કૌતુક થયું ! દીવાનને કારણ પૂછ્યું. પ્રત્યુત્તરમાં દીવાને કહ્યું, ‘જુઓ ભાઈ, તમે આવ્યા તે પહેલાં હું રાજ્યનું કામ કરતો હતો. એટલે રાજની મીણબત્તીના સહારે લખતો હતો. તમે આવ્યા. આપણી મુલાકાત અંગત હતી. એટલે મેં મારા ઘરની મીણબત્તી પ્રજ્વલિત કરી. હવે તમે વિદાય લેશો એટલે ફરીથી રાજ્યના કામ માટે રાજ્યની મીણબત્તી વાપરીશ. મારાથી અંગત કામે રાજ્યની મીણબત્તી વાપરી ન શકાય !’

આપણી ભારતભૂમિ પર થઈ ગયેલા સાધનશુદ્ધિની પ્રતિમૂર્તિ સમા આવા અનેક નામી-અનામી શાસકો-પ્રશાસકો આપણા સહુ માટે - વિશેષ કરીને શાસકો-પ્રશાસકો માટે દીવાદાંડી સમાન બની રહે તેમ છે. તેમની આ મીણબત્તીનો અલ્પ પ્રકાશ પણ આપણા સૌ માટે પ્રેરક પાથેય બની રહેશે !

Apr 30, 2013

ગહન છે કર્મની ગતિ

આદિ શંકરાચાર્યનો આશ્રમ શૃંગેરીમાં હતો. એક વાર વિજયનગરના રાજા તેમને મળવા ગયા. શંકરાચાર્યને તે વખતે ખૂબ ટાઢ ચઢી હતી અને તેઓ ધ્રૂજતા હતા. તેથી આશ્રમના એક મોટા અધિકારીએ રાજાને કહ્યું, ‘હમણાં આપ શંકરાચાર્યને મળી નહિ શકો. તેમને સખત તાવ ચઢ્યો છે.’ પરંતુ શંકરાચાર્યને રાજાના આગમનની ખબર પડી એટલે એમણે એક શિષ્યને કહ્યું, ‘રાજાને અહીં બોલાવો.’

તે જમાનામાં ખુરશીઓ ન હતી, પણ લોકો લાકડાનાં નીચાં આસનો ઉપર બેસતા. શંકરાચાર્યે રાજાને આવા એક આસન ઉપર બેસવા કહ્યું અને પછી પોતાના તાવને પણ બીજા એક આસન ઉપર બેસી જવા કહ્યું, કારણ કે તેમને રાજા સાથે વાત કરવી હતી. શંકરાચાર્યે પોતાના તાવને આસન ઉપર બેસાડી દીધો. તે પછી આસન જોરથી ધ્રૂજવા લાગ્યું. આ જોઈને રાજા અત્યંત વિસ્મય પામ્યા. તેમણે શંકરાચાર્યને પૂછ્યું, ‘જો તમે તમારા તાવને આસન ઉપર બેસાડી શકો છો તો પછી તેને સદંતર રીતે દૂર કેમ નથી કરી દેતા ?’

શંકરાચાર્ય બોલ્યા : ‘હું સાધુ થઈ ગયો છું પછી શું મારે ચોર થવું ? મેં કોઈ કર્મો કરેલાં હશે તે મારે ભોગવવાનાં છે. જો હું તેને ભોગવ્યા સિવાય ફેંકી દઉં તો હું મારી ફરજમાંથી ચૂક્યો ગણાઉં. કર્મો ગમે તે હોય - સારાં, ખરાબ, આનંદદાયક કે દુ:ખદાયક પણ તેને ભોગવવામાંથી તમે છટકી શકો નહીં. હા તમે જ્ઞાનાગ્નિમાં તેને બાળી શકો. જો તમે ધ્યાન કરો તો તમારામાં તે અગ્નિ પ્રગટ થશે અને તમારાં કર્મોને બાળી નાંખશે.’

Apr 23, 2013

ખુદ પ્રગટી અન્યના જીવનમાં પ્રકાશ પાથરો

બજારમાં કુંભારની દુકાન પર ચાર દીપક વાતો કરી રહ્યા હતા. એક બોલ્યો હતો, હમેશાંથી એક સુંદર અને આકર્ષક ઘડો બનવા માંગતો હતો, પરંતુ હાય મારું નસીબ, હું એક નાનો અમથો દીપક બની રહી ગયો. બીજાએ કહ્યું, હું પણ એક ભવ્ય સુંદર મૂર્તિ બની કોઈ અમીરના આલિશાન ઘરમાં રહેવા માંગતો હતો, પરંતુ કુંભારે મને નાનોઅમથો દીવડો બનાવી દીધો. ત્રીજાએ નિસાસો નાખતાં કહ્યું, મને તો પહેલેથી જ પૈસા પ્રત્યે ભારે આકર્ષણ. હું હમેશાં પૈસા સાથે રહેવા મળે માટે ગલ્લો બનવા માગતો હતો, પરંતુ મારા નસીબમાં નાનોઅમથો દીપક બની ધૂળ ખાવાનું લખ્યું હોય ત્યાં... આ ત્રણેય દીપકની મૂર્ખામીભરી વાતો સાંભળી ચોથા દીપકે હલકા હાસ્ય સાથે ખૂબ જ વિનમ્રતાપૂર્વક કહ્યું, આપણે કાંઈક મેળવવાનું ધ્યેય રાખી તેને પ્રાપ્ત કરવાના પ્રયાસ જરૂર કરવા જ જોઈએ, પરંતુ એમાં જો અસફળ થઈએ તો આપણે ક્યારેય પણ આપણા નસીબને કે ઈશ્ર્વરને દોષ ન જ દેવો જોઈએ, કારણ કે જીવનમાં તકોની કમી નથી. આપણને એક જગ્યાએ અસફળતા મળશે તો બીજા અનેક દરવાજા પણ ખૂલી જ જશે અને તમે એમ કેમ નથી વિચારતા કે થોડાક જ સમયમાં દિવાળી આવશે અને લોકો આપણને ખરીદી તેઓના ઘરે લઈ જશે. આપણને તેમના પૂજાઘરમાં સ્થાન આપશે, કેટકેટલાંય ઘરોની આપણે શોભા વધારીશું. માટે આપણે જ્યાં પણ રહીએ, જે હાલમાં પણ હોઈએ, ખુશ રહેવું જોઈએ. મનમાં ઈશ્ર્વર અને નસીબ પ્રત્યેનો દ્વેષ કાઢી, પોતે પ્રગટી બીજાની જિંદગીમાં પ્રકાશ ફેલાવવો જોઈએ. આપણાં ધર્મશાસ્ત્રો પણ આપણને આ જ શિખામણ આપે છે.

Apr 14, 2013

જીવનમાં અર્થનું સ્થાન

વર્ષો પહેલા ભારતીય જનસંઘ પક્ષ (ભાજપ્ની પૂર્વપાર્ટી)ના મેધાવી પ્રતિભાયુક્ત મહામંત્રી પંડિત દીનદયાલજી ઉપાધ્યાય અમદાવાદ -ના એક સભાગૃહમાં કાર્યકર્તા સંમેલનને ઉદ્બોધન કરી રહ્યા હતા. પં. દીનદયાલજી પ્રખર અર્થશાસ્ત્રી, ચિંતક અને ભારતીય દર્શનના પ્રકાંડ પંડિત હતા. સંઘ પરિવારની ‘થીંક ટેંક’ હતા... શ્રી અટલજીના શબ્દોમાં : ‘અમારામાં તેઓ જ (પંડિત દીનદયાલજી) એક માત્ર વિચારક હતા... અમે તો માત્ર તેમના વિચારોના પ્રચારકો જ છીએ!

કાર્યકર્તા સંમેલનમાં પંડિતજીને પ્રશ્ર્ન પૂછ્યો : ‘‘જીવનમાં ‘અર્થ’નું શું સ્થાન છે?’’

પંડિતજીનો પ્રત્યુત્તર એકદમ સૂત્રાત્મક અને વિચારોત્તેજક હતો... તેમણે કહ્યું : ‘જીવનમાં અર્થનો અભાવ કાર્યક્ષમતાને હાનિ પહોંચાડે; જ્યારે અર્થનો પ્રભાવ ગુણવત્તાને હાનિકર્તા છે!’

પંડિતજીએ તેમની મૌલિક સૂત્રાત્મક શૈલીથી આપણા માટે કેવી પ્રેરક શિખામણ આપી?! આજના વૈશ્ર્વીકરણ અને ઉપભોક્તાવાદ - માર્કેટ ઇકોનોમીના યુગમાં ભારતીય દર્શનમાં અર્થ - સંપત્તિ - ભોગવિલાસનું શું સ્થાન છે અને કેવી રીતે ધર્મને હાનિકર્તા થયા વિના અને ગુણવત્તાને કેન્દ્રમાં રાખી અર્થોપાર્જન કરવું અને સંપત્તિનો ઉપયોગ કરવો? - તેનું શાસ્ત્રીય દર્શન આપણને પંડિત દીનદયાલજીમાંથી મળી રહે છે.

Apr 11, 2013

સાધકની વિશેષતા...!

સામાન્ય મનુષ્ય અને સાધક વચ્ચે શું તફાવત? સામાન્ય મનુષ્ય સાદી માખી જેવો. અહીંતહીં ઊડ્યા કરે... મીઠાઈ ઉપર પણ બેસે અને ગંદકી ઉપર પણ બેસી પડે! તેનામાં વિવેક અને પસંદગીની સમજ જોવા ન જ મળે... માખીને મન મનુષ્ય, પશુ, પંખી, વૃક્ષ, છોડ, ફૂલ, ફળ, માટી, કચરો, ઉકરડો, બગીચો સર્વ સમાન!

સાધક મનુષ્ય એ પેલી મધમાખી જેવો! મધમાખી કેવળ સુવાસિત અને પુષ્પપરાગથી મ્હેંકતાં ફૂલો ઉપર જ બેસે. ફૂલોનો અમૃતતુલ્ય રસ ચૂસીને મધમાખી તેની પ્રાકૃતિક શક્તિ-મતિથી અકળ આયોજનાથી મધ ઉત્પ્ન્ન કરી, અવનીનું અમૃત સર્જે છે! જો મધમાખીમાં આવો વિવેક અને વિસ્મયકારી સર્જકપ્રતિભા હોય તો પછી પરમાત્માએ આપેલ જન્મદત્ત શારીરિક સૌષ્ઠવ અને જ્ઞાન-સમજ-વિવેકનો સુપેરે વિનિયોગ કરી, સાધક મનુષ્યે આ સંસારમાં અમૃતમય મધપૂડો સર્જવાનો છે અને મધની મધુમય મીઠાશ સર્વત્ર પ્રસારવાની છે!

- શ્રી રામકૃષ્ણ પરમહંસ

Feb 18, 2013

સંસારની તૃષ્ણાઓ બધી તકલીફોનું મૂળ

કોઈ એક સ્થળે માછીમારો માછલાં પકડતા હતા. એક સમળી નીચે ઊતરી આવી અને ઝાપટ મારી એક માછલી ઉપાડી ગઈ, માછલી જોઈને હજાર જેટલા કાગડા એ સમળીની પાછળ પડ્યા અને ‘કા, કા’ કરવા મંડ્યા. માછલી સાથે સમળી જે તરફ ઊડે તે તરફ કાગડાઓ પણ ઊંડે. સમળી દક્ષિણ દિશામાં ગઈ તો કાગડા એની પાછળ એ દિશામાં ગયા. સમળી ઉત્તરમાં ગઈ તો કાગડા ત્યાં પણ પાછળ ગયા. સમળી પૂર્વ-પશ્ર્ચિમમાં ગઈ તોયે પરિણામ એ જ. ગભરાટમાં સમળી આમતેમ ઊડવા લાગી તો, એના મોંમાંથી માછલી સરી પડી. કાગડાઓએ સમળીને પડતી મૂકી અને માછલીની પાછળ ઊડ્યા. આમ ઉપાધિમુક્ત થઈને, એક ઝાડની ડાળે બેસી સમળી વિચારવા લાગી, ‘પેલી દુષ્ટ માછલી જ મારી બધી પીડાનું મૂળ હતી. હવે એમાંથી મુક્ત થઈ ગઈ એટલે મને પરમ શાંતિ થઈ.’ સંસારની તૃષ્ણાઓ રૂપી માછલી મનુષ્ય પાસે છે ત્યાં સુધી, એણે કર્મો કરવાં પડે ને પરિણામે ચિંતા, ઉપાધિ અને અશાંતિનો ભોગ બનવું પડે છે. આ તૃષ્ણાઓ જેની પ્રકૃતિ છે; તે પ્રકૃતિનું સાધના અને આત્મનિરિક્ષણ દ્વારા રૂપાંતર થાય... ત્યારે જ મનુષ્યને પરમ આત્મશાંતિ અને પ્રસન્નતાની અનુભૂતિ થઈ શકે !

Feb 11, 2013

ધન, સફળતા અને પ્રેમ



એક દિવસ કોઈ સ્ત્રીએ તેના ઘરની સામે ત્રણ ભગવાંધારી સંતોને જોયા, તેઓને જોઈ તેણે સંતોને ભોજન કરી આશીર્વાદ આપવા અરજ કરી. તેના જવાબમાં એક સંતે કહ્યું, ‘‘અમે ત્રણેય એકસાથે એક જગ્યાએ નથી જતા, કારણ કે મારું નામ ‘ધન’ છે, આમનું નામ સફળતા છે અને તેમની સાથે ‘પ્રેમ’ છે માટે તમે અમારા ત્રણમાંથી એકની પસંદગી કરો.’’ મહિલાએ આ મુદ્દે તેના પતિ સાથે ચર્ચા કરવાની પરવાનગી માગી. પતિ ‘ધન’ આવે તેમ ઇચ્છતો હતો જ્યારે મહિલા ‘સફળતા’ આવે તેમ ઇચ્છતી હતી. તેમનો આ આંતરકલહ જોઈ તેમની નાની દીકરી બોલી, ‘મને લાગે છે કે આપણે પ્રેમને જ બોલાવવા જોઈએ, કારણ કે આપણી વચ્ચે પ્રેમ ખૂબ જ જરૂરી છે.’ સ્ત્રી ઘરની બહાર ઊભેલા સંતો પાસે ગઈ. પ્રેમને અંદર આવવા કહ્યું. સ્ત્રીના આશ્ર્ચર્ય વચ્ચે પ્રેમની પાછળ જ ધન અને સફળતા પણ જવા લાગ્યા. સ્ત્રીએ આ અંગે પૂછ્યું તો એક સંતે કહ્યું, જો તમે સફળતા કે ધન બેમાંથી એકની પસંદગી કરી હોત તો તે એકને છોડી અન્ય બે તારા ઘરમાં સાથે ક્યારેય ન આવત, પરંતુ તેં પ્રેમને આમંત્રિત કર્યો છે અને પ્રેમ ક્યારેય એકલો નથી આવતો, તેની પાછળ પાછળ સફળતા અને વૈભવ આપોઆપ ખેંચાઈ આવે છે.

Jan 29, 2013

Mega Suryanamaskar Event

आज से 350 वर्ष पूर्व समर्थ गुरु रामदास ने गाँव-गाँव में सूर्यनमस्कार को प्रचलित किया था। छत्रपति शिवाजी की सेना बनी व स्वराज्य का गौरवमय इतिहास लिखा गया। सूर्यनमस्कार राष्ट्रनिर्माण का मार्ग सिद्ध हुआ। सूर्यनमस्कार के नियमित अभ्यास से शरीर बलवान व लचीला, मन एकाग्र व शांत, बुद्धि तीक्ष्ण व समग्र तथा भावना संतुलित व उदात्त बनने के साथ ही आध्यात्मिक उन्नति भी होती है। सूर्यनमस्कार के सामूहिक अभ्यास से चमुत्व भाव (टीम स्पिरिट) का विकास व राष्ट्रनिर्माण का संस्कार सहजता से हो जाता है। आयोजन की भव्यता से समाज में सकारात्मक संदेश प्रसारित होता है। कार्यकर्ता, शिक्षक एवं समाज के प्रबुद्ध वर्ग में आत्मविश्वास का संचार होता है। स्वामी विवेकानन्द हमेशा कहा करते थे- ‘हमारे देश को चाहिए लोहे की मांसपेशियां और फौलाद के स्नायु। ऐसा शक्तिशाली शरीर और मन कि जिसका अवरोध दुनिया की कोई ताकत न कर सके।' स्वामीजी के इस शक्तिदायी विचार को ध्यान में रखते हुए भारत को शारीरिक, मानसिक, बौद्धिक, भावनात्मक और अध्यात्म के बलार्जन का संदेश देने के लिए स्वामी विवेकानन्द सार्ध शती समारोह समिति ओर से देशभर ‘सूर्यनमस्कार महायज्ञ' का आयोजन किया जा रहा है। स्वामी विवेकानन्द की 150वीं जयंती उपलक्ष्य में आयोजित इस उपक्रम का विद्यालय के प्राचार्य, शिक्षक तथा विद्यार्थियों ने हार्दिक स्वागत किया है। इसके लिए सबसे पहले नागपुर सभी विद्यालयों के चयनीत विद्यार्थियों का अग्रेसर के रूप में प्रशिक्षित किया जाएगा। तत्पश्चात विद्यालयों में उन प्रशिक्षित विद्यार्थियों के माध्यम से अन्य छात्र-छात्राओं को सूर्यनमस्कार का प्रशिक्षण दिया जाएगा। सोमवार दि.18 फरवरी, 2013 को सम्पन्न होने वाले इस सूर्यनमस्कार महायज्ञ के लिए नागपुर के सभी विद्यालयों से संपर्क किया जा रहा है। नगर के सभी विद्यालयों के प्रचार्य, शिक्षक, छात्र-छात्राएं तथा अभिभावकों से आह्वान किया जाता है कि इस सामूहिक सूर्यनमस्कार के अभिनव आयोजन में सहभागी होकर स्वामीजी के इस सार्ध शती के अवसर पर उन्हें वीरता से पूर्ण कृति अर्थात ‘सामूहिक सूर्यनमस्कार' के द्वारा नमन करें।


Jan 28, 2013

સર્વ ધર્મનો એક જ સંદેશ : માનવતા

‘ધર્મ’ શબ્દ સંસ્કૃત ‘ધૃ’ ઉપરથી થયો છે. તેનો અર્થ ધારણ કરવું અથવા સાંધી દેવુ એવો થાય છે. ટૂંકમાં મનુષ્યોને જુદા પાડતાં રોકે તેનું નામ ધર્મ.


મહાભારતમાં કહ્યું છે કે, ‘ધર્મનો અર્થ સંભાળી રાખવું કે સાંધી દેવું એવો છે. ધર્મથી સૌ સાવધ રહે છે તથા મળતા રહે છે. જે કાર્યથી સર્વ લોકો એકમેક સાથે સંકળાયેલા રહે તે જ સાચો ધર્મ. જે કાર્યથી સર્વનું કલ્યાણ થાય, સૌનું ભલું થાય, જે કાર્યથી કોઈને હાનિ ન પહોંચે તે કાર્ય એટલે જ સાચો ધર્મ’.


કુરાનમાં કહેવાયું છે કે, ‘મજહબ’ શબ્દનો અર્થ છે ‘માર્ગ’ જે રસ્તો સૌની ભલાઈનો છે તે જ સાચો ધર્મ - મજહબ છે.


એક વાર મહંમદ સાહેબને કોઈએ પૂછ્યું કે, ‘ધર્મ શું છે?’ ત્યારે તેમણે ઉત્તર આપ્યો કે ધીરજથી સહન કરવું અને બીજાઓનું કલ્યાણ કરવુ તે ધર્મ છે.


બાઈબલમાં કહેવાયુ છે કે, ‘હે માનવી તું ભોગલાલસાનો ત્યાગ કરી સંયમી બનજે, સત્યના માર્ગે ચાલતો રહેજે અન્યનું કલ્યાણ કરજે.’


હિન્દુઓનો ઋગ્વેદ હોય કે યહૂદીઓની તૌરાત હોય, પારસીઓનો ઝન્દ અવસ્તા હોય કે બૌદ્ધની ત્રિપિટક હોય, ઈસાઈઓનું બાઈબલ હોય કે મુસલમાનોનું કુરાન હોય... આ બધા ધર્મગ્રંથો વાંચવામાં આવે તો તેનો ઉદ્દેશ, તેની મૂળભૂત વાતો એકસરખી જ છે. સર્વની ભલાઈ એ જ ધર્મ છે. સૌનું કલ્યાણ એ જ ધર્મ છે. આ બધા ધર્મગ્રંથોનો સાર ‘માનવતા’ જ છે. કદાચ એટલા માટે જ ભગવાન કૃષ્ણનું વચન તમને બાઈબલમાં વાચવા મળે છે. જીસસનું કોઈ કહેલું વાક્ય તમને ગીતામાં વાંચવા મળશે. કુરાનની કોઈ આયત તેની વ્યાખ્યા તમને વેદોમાં જોવા મળશે. બુદ્ધનાં વચનો ચીના લોકો સમજે છે અને ચીનના લાઓત્સે તાઓ તેક કિંગના વચનો ભારતના ‘કબીર’ સાંભળે છે.


કહેવાનો મતલબ એટલો જ છે ધર્મગ્રંથોના મહાસાગરમાં ક્યાંય પણ ડૂબકી લગાવો, ત્યાં તમને માનવતાનાં જ ‘મોતી’ મળશે. માનવધર્મ જ બધા ધર્મનો સાર છે.

Jan 23, 2013

વાસ્તવિકતા સ્વીકારવી ઘટે

એક જાણીતી બોધકથા મુજબ ત્રણ મિત્રો ધન કમાવા પરદેશ જવા નીકળ્યા. રસ્તામાં ચાંદીનો દટાએલો ભંડાર મળ્યો. તે લઈને એક મિત્ર પાછો ફર્યો. પછી સોનાનો ચરુ મળ્યો. બીજો મિત્ર એમાં સંતોષ માનીને ચરુ સાથે પાછો ફર્યો.


ત્રીજા મિત્રે કહ્યું કે પહેલા ચાંદી, પછી સોનું મળ્યું તો હવે આગળ જતાં રત્નો જ મળવાં જોઈએ. પેલા બે મિત્રોએ જે મળ્યું છે તે વહેંચીને સંતોષથી જીવવા કહ્યું, પણ ત્રીજો મિત્ર ન માન્યો. છેવટે રત્નો મેળવવાની ઘેલછામાં એ એવી મુશ્કેલીમાં ફસાયો કે જીવ ખોવો પડ્યો.


જે નજર સામે હોય તેને અવગણીને કલ્પ્ના પાછળ દોડવાથી નુકસાન થાય, તે સમજાવતો એક શ્ર્લોક છે -


यो ध्रुवाणि परित्यज्य


अध्रुवाणि निवेशते।


ध्रुवाणि तस्य नश्यन्ति


अध्रुवं नष्टमेव च॥


ધ્રુવ એટલે કે જે સામે છે તેને છોડીને જે કાલ્પનિક છે, જે નજરે જોયું નથી એની પાછળ દોડનાર જે પ્રત્યક્ષ છે તે તો ખોઈ જ બેસે છે, અને અધ્રુવ એટલે કે કલ્પ્નાના ઘોડાએ બતાવેલું તો હોતું જ નથી. ‘બાવાનાં બે’ય બગડ્યા’ જેવો ઘાટ થાય છે.