Sep 23, 2015

ભગિની નિવેદિતા

ઇંગ્લૅન્ડનાં એક વિદુષી મહિલા જેઓ એક વિદ્યાલયનાં આચાર્ય હતાં તથા ત્યાંની શિક્ષણ સમિતિના સદસ્ય પણ હતાં તેઓ સ્વામી વિવેકાનંદના આહ્વાનથી ભારતમાં આવ્યાં. મૂળ નામ તો માર્ગારેટ નોબલ પરંતુ સ્વામીજીએ તેમને ભગિની નિવેદિતા નવું નામ આપ્યું અને બંગાળમાં સ્ત્રીશિક્ષણની જવાબદારી સોંપી. નિવેદિતાએ અનાથ બાળાઓ માટે અનાથાશ્રમ શરૂ કર્યો અને તેમાં બ્રિટિશ સરકારની કોઈપણ પ્રકારની સહાય નહીં લેવાનો સંકલ્પ કર્યો. દેશવાસીઓ પાસેથી જ ભંડોળ મેળવી તેમણે આશ્રમ ચલાવ્યો.

સહાય માટે એકવાર તેઓ સુખી-સંપન્ન વ્યક્તિ પાસે ગયાં અને અનાથ બાળાઓ માટે સહાયની માંગણી કરી. તે વ્યક્તિએ સહાય આપવાનો ઇન્કાર કર્યો એટલું
જ નહિ ગુસ્સામાં આવીને નિવેદિતાને થપ્પડ મારી દીધી. ભગિની નિવેદિતાએ જરા પણ વિચલિત થયા વિના જણાવ્યું કે, આ થપ્પડ તો તમે મને આપી છે પરંતુ અનાથ બાળાઓ માટે તો કંઈક આપો. આ સાંભળી તે વ્યક્તિ ભોંઠો પડી ગયો.

સેવાકાર્ય માટે કેવી નિષ્ઠા અને લક્ષ્યસિદ્ધિ માટે કેવો સમર્પણભાવ હોવો જોઈએ તે ઉપરોક્ત પ્રસંગથી સ્પષ્ટ થાય છે.

સામાજિક કાર્યકર્તાએ પોતાના માન-અપમાનની ચિંતા છોડીને સેવાકાર્યમાં પ્રવૃત્ત રહેવું જોઈએ.

Sep 18, 2015

ભારતનું મીડિયા નકારાત્મક કેમ ?

પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજીને તાજેતરમાં કોઈએ પ્રશ્ર્ન પૂછ્યો કે, "ભારતનું મીડિયા આટલું બધું નકારાત્મક કેમ છે ? ત્યારે તેમણે આપેલો ઉત્તર નીચે પ્રમાણે હતો.

"નકારાત્મકતા આપણને વારસામાં મળી છે. અહીં વિદેશીઓનું રાજ્ય હતું તેથી વિદેશી સામ્રાજ્યની ટીકા કરવી, ભૂલો કાઢવી એ મીડિયા માટે તે સમયે જરૂરી હતું, પરંતુ ધીમે ધીમે મીડિયાને તે ટેવ પડી ગઈ, તેનો સ્વભાવ બની ગયો. તે ટેવ અંગ્રેજોના ગયા પછી પણ ચાલુ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે કોણ જાણે કેમ આપણા જ દેશનું નિરાશાજનક ચિત્ર રજૂ કરવામાં

Sep 10, 2015

ઈશ્ર્વરનું અસ્તિત્વ

એક યુવા બાળકે પોતાના પિતાને કહ્યું કે ભગવાન આ જગતમાં છે જ નહિ. જો ઈશ્ર્વર હોત તો આપણને દેખાત. પિતાએ એને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને આ વાત પર લેશમાત્ર પણ ભરોસો ન થયો. પિતાની સમજાવવાની બધી કોશિશો વ્યર્થ ગઈ અને આખરે એમણે સમજાવવાનું છોડી દીધું.

એક દિવસ જ્યારે યુવક ઘરની બહાર ગયો હતો ત્યારે તેના પિતાને એક યુક્તિ સૂજી. પિતાએ યુવકના ઓરડામાં એક મોટા ચિત્રપટ (કેન્વાસ) પર સુંદર ચિત્ર બનાવ્યું તથા પાસે મેજ પર રંગની બાટલીઓ, પીંછીઓ વગેરે એમ જ રાખી મૂકી. જ્યારે યુવક ઘરે પરત આવ્યો ત્યારે એ સુંદર ચિત્ર જોઈને તરત જ એના પિતાને પ્રશ્ર્ન કર્યો, ‘અરે પિતાજી!