Dec 6, 2014

સારા કાર્યમાં સહકારની ભાવના

એક ખૂબ જ ગરીબ અને પછાત ગામ હતું. એમાં બે-ચાર છોકરા વંચાઈ ગયેલાં છાપાં માગી લાવી નાની લાઇબ્રેરી ચલાવતા હતા. એક દિવસ ગામમાં બસ આવી. પ્રવાસીઓ ઊતર્યા. એક કાકા પાસે છાપું હતું. પેલા યુવકે વિનંતી કરી, ‘કાકા, આ છાપું આપશો અમારી લાઇબ્રેરી માટે?’

કાકા ચિડાયા, ‘કેમ ભાઈ, મેં હરામનું છાપું લીધું છે? પૂરો રૂપિયો આપ્યો છે.’

યુવક બોલ્યો, ‘પણ હવે તો પસ્તીમાં જ જશે ને? એના કરતાં ગામના લોકોને વાંચવા મળે તો સારું ને?’

કાકા બોલ્યા, ‘મફતમાં તો નહીં આપું, તારે એના આઠ આના આપવા પડશે.’

કાકાના શબ્દો સાંભળી

Nov 29, 2014

"સંત''નો ખિતાબ અને રેશનાલિસ્ટોની કસોટી - સંજય વોરા

ભારતના કોઇ સંત અથવા બાબા કોઇ કથિત ચમત્કાર કરે ત્યારે આપણા તથાકથિત બુદ્ધિજીવીઓ શોર મચાવે છે કે બાબા ઢોંગી છે. બુદ્ધિજીવીઓ પ્રામાણિકપણે એવુ માનતા હોય છે કે દુનિયામાં ચમત્કાર જેવી કોઇ વસ્તુ નથી અને બધું સાયન્સના નિયમો મુજબ ચાલે છે. તેમની પ્રામાણિકતાને સલામ કરીને પૂછવાનું મન થાય છે કે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાંસિસે ભારતની બે વ્યક્તિઓને સંતનો ખિતાબ આપવાનું નક્કી કર્યું છે તેનો તેઓ કેમ વિરોધ કરતા નથી? કારણ કે રોમન કેથોલિક ધર્મના નિયમ મુજબ સંતનો ખિતાબ ત્યારે આપવામાં આવે છે, જ્યારે તેમના દ્વારા સાયન્સની માન્યતા વિરુદ્ધ કોઇ ચમત્કાર કરવામાં આવ્યો હોય. જો ગુજરાતના અથવા ભારતના રેશનાલિસ્ટો ઘટનાનો વિરોધ કરે તો માનવું પડશે કે તેઓ પણ ઢોંગી છે.
રોમન કેથોલિક ચર્ચ દ્વારા તાજેતરમાં

Nov 26, 2014

જ્ઞાનની જિજ્ઞાસા

એક ગુરુજી પાસે એક વ્યક્તિ આવ્યો અને કહેવા લાગ્યો કે, ગુરુજી મારે તમારી પાસેથી કેટલીક નવી વાતો શીખવી છે.

ગુરુજીએ કહ્યું : નવી વાતોનો અર્થ શું થાય? તેણે કહ્યું : ગુરુજી સતત અભ્યાસ કર્યો હોવાથી, મેં સંસારનું મોટા ભાગનું જ્ઞાન મેળવી લીધું છે. પછી મને વિચાર આવ્યો કે તમારી સાથે ચર્ચા કરીને કાંઈક નવું શીખવા મળશે.

ગુરુજીએ બે ખાલી કપ અને ચાની કીટલી મંગાવી. પહેલા પોતાના કપમાં ચા કાઢી પછી પેલી વ્યક્તિના કપમાં ચા નાખવાની ચાલુ કરી. ગુરુજી ચા નાખતા ગયા, કપ ભરાઈ ગયો અને ચા બહાર પડવા લાગી.

પેલી વ્યક્તિએ કહ્યું : ગુરુજી, કપ ભરાઈ ગયો. ચા બહાર પડી રહી છે. ગુરુજીએ કહ્યું જેવી રીતે આ ભરાયેલા કપમાં ચા નાખવાથી બહાર આવી રહી છે, એવી જ રીતે તારા ભરાયેલા મગજમાં હું વધારે જ્ઞાન ક્યાંથી ભરી શકું?! જો તમે વધુ જ્ઞાન મેળવવા ઇચ્છતા હો તો પહેલા તમારું મગજ ખાલી કરી આવો.

મિત્રો, બિલકુલ એવી જ રીતે તમે પણ જીવનમાં કાંઈ મેળવવા ઈચ્છતા હોવ તો, અજ્ઞાની બની જાઓ અને જ્ઞાનને અંદર પ્રવેશવા દો....!

Oct 29, 2014

‘સ્વચ્છ ઘર’, ‘સ્વચ્છ ભારત’, ‘સ્વચ્છ મન’

એકવાર ચાર-પાંચ વ્યક્તિઓ ભગવાન મહાવીર પાસે આવ્યા અને કહ્યું, ‘ભગવાન, અમારી વચ્ચે એક પ્રશ્ર્ન બાબતમાં મતભેદ છે. પ્રશ્ર્ન એ છે કે ભવસાગરમાં પહેલો કોણ ડૂબે? કામી, ક્રોધી, મોહી કે અભિમાની?’

ભગવાન મહાવીરે થોડીવાર વિચાર કર્યો અને શાંતિથી કહ્યું, ‘પહેલાં આપ મારા પ્રશ્ર્નનો જવાબ આપો. કોઈ સૂકું અને કાણા વિનાનું તુંબડું હોય તો એ પાણીમાં ડૂબે ખરું?’

‘ના, ભગવાન! ના ડૂબે.’

‘એ જ તુંબડાની ડાબી તરફ જો કાણું પડે તો

Oct 15, 2014

શાંતિનું નોબેલ પ્રાઇઝ વિવાદા સ્પદ રહ્યું છે - સંજય વોરા

નોબેલ પ્રાઇઝ અર્પણ કરનારાઓની મુખ્ય ગણતરી પશ્ચિમી પદ્ધતિની જીવનશૈલીને મજબૂત બનાવવાની હોય છે. જેઓ પ્રાચીન પરંપરાઓનું ભંજન કરે છે અને આધુનિકતાના પ્રચારક બને છે, તેમને નોબેલ પ્રાઇસ સહેલાઇથી મળે છે.    -  સંજય વોરા


ભારતના કૈલાસ સત્યાર્થીને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળ્યું બદલ આપણે આનંદ અનુભવવો જોઇએ, પણ શાંતિ માટેનું નોબેલ હંમેશાં લાયક વ્યક્તિને મળે તેવું બનતું નથી. ભૂતકાળમાં અયોગ્ય વ્યક્તિને નોબેલ મળવાને કારણે ઘણા વિવાદો થયા છે. તેમાં સૌથી તાજો વિવાદ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ઇ.સ. ૨૦૦૯ની સાલમાં આપવામાં આવેલા નોબેલ

Oct 14, 2014

અંધારામાં દીવો કરવો પડે

એક ડોશી મા હતાં. ખૂબ ગરીબ, પાસે પહેરવાના કપડાં પણ પૂરતાં નહિ, એટલે સાંધી-સુંધીને કપડાં પહેરે. એક રાતે એવી જ રીતે તેઓ પોતાનો ફાટેલો સાડલો સાંધવા બેઠાં. આંખે દેખાય પણ ઓછું. એટલે સાંધવામાં ય બહુ જ તકલીફ પડે. પાછી રાત અને ઘરમાં તેલનો દીવો કે ફાનસ હોય?! તેમાં પાછી માજીની સોય પડી ગઈ. વળી આંખમાં ઝાંખું.! તેમના મનમાં થયું કે બહાર રસ્તે તો દીવા છે તો લાવ ને બહાર શોધું! આમ માજી તો બહાર સોય શોધવા લાગ્યાં. રસ્તે એક માણસ પસાર થતો હતો, માજીને નીચા વળીને કઈક શોધતા જોયાં એટલે પૂછ્યું, ‘માડી, તમે શું શોધો છો?’ માજી કહે કે, ‘ભાઈલા, મારી સોય પડી ગઈ છે તો ગોતું છું.’ માણસે પૂછ્યું કે, ‘માડી તમારી સોય પડી છે ક્યાં?’ એટલે માજીએ જવાબ આપ્યો કે, ‘બેટા, મારી સોય તો અંદર ઝુંપડામાં પડી છે.’ નવાઈ પામી માણસે કહ્યું કે, ‘માડી, તો પછી અંદર કેમ નથી શોધતા?’ માજીએ કહ્યું કે, ‘બેટા, પણ અહીં બહાર અજવાળું છે એટલે બહાર ગોતું છું.’

સાચે જ આપણે પણ ખોવાયેલું કઈક શોધીએ છીએ ખરા, પણ તે ખોવાયું ક્યાંક છે અને આપણે શોધીએ છીએ ક્યાંક!

જ્યારે ખોવાયું હોય ત્યાં જ ગોતવું પડે, અંધારું હોય ત્યાં જ દીવો કરવો પડે.

Oct 4, 2014

અમોઘ શસ્ત્ર


એક શક્તિશાળી રાજા તેની અપાર શક્તિના લીધે ખૂબ જ ઘમંડી અને અવ્યવહારૂ બની ગયો હતો, પરિણામે તેના દુશ્મનો વારંવાર તેના પર હુમલો કરી દેતા, પરંતુ પોતાની પાસેના શસ્ત્રોથી તે દુશ્મનોને પરાસ્ત કરી દેતો. રાજા હવે એટલો ઘમંડી બની ગયો કે તેના જ રાજ્યના લોકોની પણ કદર કરતો નહીં, એટલે રાજ્યના નાગરિકો તેના દુશ્મનો બનવા લાગ્યાં. આ વાતથી ગભરાઈ રાજાએ રાજગુરુને મળીને કહ્યું, ‘મહારાજ, મહારાજ રાજ્યના લોકો મારા દુશ્મનો બની મારા પર ગમે તે ઘડીએ હુમલો કરી શકે છે અને હું તેમની સામે મારા શસ્ત્રો પણ ઊઠાવી શકીશ નહીં.’ રાજગુરુએ કહ્યું, ‘પ્રજાને જીતવાના ત્રણ અમોઘ શસ્ત્રો છે, તેનો ઉપયોગ કર. પ્રજા માટે યથા શક્તિ રોજગારીની તકો ઊભી કર... મોટાભાગની તકલીફો આપ મેળે જ દૂર થઈ જશે... બીજું, મૃદુ બોલ અને એવું વર્તન કર... ત્રીજું, પ્રજાનું યોગ્ય સન્માન કર. આ ત્રણેય શસ્ત્રો પોતાના અને પારકા પર બ્રાસ્ત્ર સમાન કામ કરે છે, તેનાથી પણ વિજય મેળવી શકાય છે.’ એ રાજા ઉપદેશનું પાલન કરીને પ્રજામાં અને આસપાસના રાજાઓમાં લોકપ્રિય શાસક બન્યો.

Sep 22, 2014

પતિના આદર્શની પુષ્ટિ

લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા ત્યારે તેમના પુત્રોએ એવો આગ્રહ કર્યો કે, અમારા માટે એક મોટર ખરીદવામાં આવે.

એક દિવસ સાંજના સમયે લાલબહાદુર શાસ્ત્રી પોતાના કુટુંબ સાથે વાતો કરતા બેઠા હતા. એ દરમિયાન તેમણે કહ્યું : ‘મોટર ખરીદવાનું મેં નક્કી કર્યું છે.’

બાદ તેમણે પોતાના ખાનગી સચિવને બોલાવ્યો અને પૂછ્યું ‘બેન્કમાં મારા ખાતામાં કેટલી રકમ જમા છે?’

સચિવે કહ્યું : ‘ચાર હજાર રૂપિયા.’

‘અને મોટરની શી કિંમત

એકાગ્રતા

01.jpfગુરુ દત્તાત્રય એક નગરીમાં ચાલ્યા જતા હતા. તેમની આગળ એક વરઘોડો જઈ રહેલો. ઢોલ, નગારાં, શરણાઈઓ અને ગીત-ભજનોથી વાતાવરણ સુંદર બન્યું હતું. વરઘોડો નીકળી ગયો. ગુરુ દત્તાત્રય એક ઉપવનમાં ઊભા રહી ગયા. ત્યાં એક પારધી વૃક્ષ પર પક્ષીઓ પર મીટ માંડીને બેસી રહેલો. ગુરુ દત્તાત્રયે કહ્યું, અરે તેં પેલો વરઘોડો નીકળ્યો એ ન જોયો ને અહીં બેસી રહ્યો?

પારધીનું ધ્યાન તૂટ્યું. તે શિકારમાં ધ્યાનસ્થ હતો. તેણે બે હાથ જોડીને કહ્યું કે મને તો વરઘોડાનો ખ્યાલ જ નથી મહારાજ.

ગુરુ દત્તાત્રય બોલ્યા, ‘ભાઈ, ઈશ્ર્વરના ધ્યાનમાં તારા જેવી એકાગ્રતા રાખવી જોઈએ.’

Sep 13, 2014

પાવન ધૂળ

01.jpgરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતિય સરસંઘચાલક શ્રી ગુરુજીને પંજાબના મોટા સૈનિક અધિકારીએ પ્રશ્ર્ન કર્યો, ‘‘સંઘમાં કયું વિશેષ શિક્ષણ મળે છે?’’ શ્રી ગુરુજીએ કહ્યું, ‘‘કેવળ રમવાનું અને ગીતો ગાવાનું.’’ અધિકારીએ ફરી પૂછ્યું, ‘‘એ સિવાય કંઈ શીખવાડતા હશો. હું વ્યક્તિગત રીતે ભારતના વિભાજનના દિવસોની પંજાબની અનેક ઘટનાઓ જાણું છું, ત્યારે સંઘના અનેક સ્વયંસેવકોએ વીરતા અને બલિદાનમાં આપણા પ્રશિક્ષિત સૈનિકોને પણ પાછળ રાખી દીધા. એમાંના અનેકોએ લોકોનું રક્ષણ કરવામાં હસતા હસતા પોતાના પ્રાણોનું બલિદાન આપી દીધું. એથી મને જાણવાની ઉત્સુકતા છે કે તે કયું વિશેષ શિક્ષણ છે, જેના લીધે સંઘના લોકો આવા બહાદૂર બની જાય છે.’’

શ્રી ગુરુજીએ સંઘ શાખાની સહજ સરળ કાર્યક્રમની રૂપરેખા સમજાવી અને કહ્યું અમારું સમસ્ત શિક્ષણ ‘‘કબડ્ડી’’ શબ્દથી વ્યક્ત થાય છે. સંઘ સ્થાનની પાવન ધૂળમાં જ એ શક્તિ રહેલી છે, જ્યાં માતૃભૂમિના યશોગાનની પ્રાર્થના થાય છે.

સાંભળો રે ભાઈ સાદ

01.jpgખેડા જિલ્લાનું વસો ગામ. મેઘલી રાત. ધોધમાર વરસાદ વરસે. આખું ગામ ઘરમાં ભરાઈ ગયું હતું. એક ભૂલ્યો-ભટક્યો માણસ શેરીઓમાં બૂમ પાડે છે, મારે સ્ટેશને જવું છે. કોઈ રસ્તો બતાવો.

કોઈ સાંભળતું નથી. પેલો માણસ ટાઢથી ધ્રૂજે છે. શેરીએ શેરીમાં કોઈ સાંભળે છે પણ ગોદડામાં લપાઈ જાય છે. મોડી રાત હતી. એક સજ્જને સાદ સાંભળીને બારીમાંથી જોયું. અજાણ્યા મુસાફરને જોઈને બહાર આવ્યા અને કહ્યું, ‘ભાઈ, ચાલ તને સ્ટેશને મૂકી જાઉં છું.’

છત્રી લીધી. પેલા મુસાફરના માથે ધરી અને વરસતા વરસાદમાં દોઢ કિલોમીટર દૂર ઠેઠ સ્ટેશન સુધી મૂકી આવ્યા. એ સજ્જન હતા ગુજરાતમાં પુસ્તકાલયની પ્રવૃત્તિને વેગ આપ્નાર મોતીભાઈ અમીન.

દીનદુખિયાનો સાદ સાંભળવો અને મદદ કરવી એ જ માનવધર્મ.

(‘જીવનની કમાણી’માંથી સાભાર)

Sep 3, 2014

આત્મસૌંદર્યનો પ્રભાવ

ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદ વખતે વિલાયત ગયા હતા ત્યારે ત્યાંના લોકો ઉપર એમનો પ્રભાવ ન પડે એટલા માટે છાપાંવાળાઓએ એમના વિરુદ્ધ પ્રચાર આદરેલો : ‘ગાંધી તો કદરૂપો છે, ઠીંગણો છે, કાળો છે, રિસાળ છે, અસભ્ય છે. પૂરતાં કપડાં પણ પહેરતો નથી.’ આવા કંઈકંઈ જાતના સમાચારો જનતામાં વહેતા મૂકેલા. પણ મહાત્માજીએ પોતાની આત્મપ્રતિભાથી ત્યાંના સૌને મંત્રમુગ્ધ કરી દીધા.

સખત ઠંડી હોવા છતાંય, ચંપલ અને કચ્છ પહેરીને, વહેલી સવારે ગાંધીજી ફરવા નીકળી પડે. જ્યારે તે ફરવા નીકળે ત્યારે ગોરાં ભૂલકાંઓ

Jul 15, 2014

ગુરુદક્ષિણા

સાંદીપનિ મુનિએ શ્રીકૃષ્ણ તથા બલરામ ક્ષત્રિયો હોવાથી તેમને યુદ્ધ-વિજ્ઞાન, રાજનીતિ તેમજ ગણિતશાસ્ત્રમાં વિશિષ્ટ તાલીમ આપવામાં આવી. અભ્યાસ પૂરો થતાં વિદાય લેતી વખતે શ્રીકૃષ્ણ ગુરુદેવ પ્રત્યે વિનમ્ર ભાવે બોલ્યા, ‘ગુરુજી, આપ્ના આશ્રમમાં તો મેં જ્ઞાન લીધા જ કર્યું. જ્ઞાન અને પ્રેમની

મોજ માણી. આપ્નું અમારા પરનું ઋણ અપાર છે. હવે આપ્ને કંઈક આપવાનું મન થાય છે. તો અમે આપ્ને ગુરુદક્ષિણામાં શું આપીએ?

આખરે ગુરુપત્નીએ શ્રીકૃષ્ણને કહ્યું, અમારા એકના એક પુત્રને રાક્ષસ ઉપાડી ગયો છે. એ પુત્ર પાછો

Jul 8, 2014

અને પંડિતજી બચી ગયા

એક નાનકડું ગામ હતું. એમાં એક પંડિતજી રહે. તેઓ આસપાસનાં ગામોમાં પણ જાણીતા હતા. તેમાંના એક ગામમાં એક મંદિરના પૂજારીનું અવસાન થયું. એટલે આ પંડિતજીને એ મંદિરના પૂજારી બનાવી દીધા.

એક દિવસ બસમાં બેસીને પંડિતજી જઈ રહ્યા હતા. કંડક્ટર પાસે આવ્યો એટલે તેમણે ટિકિટ માગી અને રૂપિયા આપ્યા. આપેલી રકમમાંથી ટિકિટના પૈસા કાપીને બીજા રૂપિયા પંડિતજીને પાછા આપ્યા. પંડિતે ગણ્યા તો દસ રૂપિયાની એક નોટ વધારાની આવી ગઈ હતી. પંડિતજીએ વિચાર્યું હમણા કંડક્ટરને દસ રૂપિયા પાછા આપું છું. કંડક્ટરને થોડી વાર લાગી એ દરમિયાન

Jun 26, 2014

સિંહબાળ : લવ-કુશ

લંકા વિજય પછી અયોધ્યામાં શ્રીરામનો રાજ્યાભિષેક થયો. અયોધ્યાના એક ધોબીના કટુવચનો સાંભળીને રાજા રામે પ્રાણપ્રિય પત્ની સીતાજીનો ત્યાગ કર્યો. સીતાજીને સગર્ભાવસ્થાામાં જ વાલ્મિકી આશ્રમમાં આશ્રય લેવાની ફરજ પડી. લવ-કુશ જોડીયા દીકરાઓને જન્મ આપીને, સીતામાતાએ બંને પુત્રોનો રઘુકુળની ઉજ્જ્વળતમ પરંપરા અનુસાર ઉછેર કર્યો અને તેમનામાં સાહસનાં ગુણોનું સિંચન કર્યું.

થોડા વર્ષો બાદ શ્રીરામે અશ્ર્વમેધ યજ્ઞનું આયોજન કર્યું. ભરત અશ્ર્વમેધ યજ્ઞનો અશ્ર્વ લઈને ફરતાં હતા. એ અશ્ર્વને જે અટકાવે એની સાથે યુદ્ધ કરવાનું હતુ. એક દિવસ ફરતાં ફરતાં ભરત વાલ્મીકી આશ્રમે આવી પહોંચ્યા. લવ-કુશે યજ્ઞનાં અશ્ર્વને પકડીને

Jun 19, 2014

માનવીને ગમ્યું તે ખરૂં

એક દિવસ ભગવાન વિષ્ણુને ચિંતાતુર જોઈ લક્ષ્મીજીએ પૂછ્યુ, ‘ભગવન્, આપ બહું ચિંતિત જણાવ છો? કારણ શું છે?’

ભગવાને શોકગ્રસ્ત અવાજે કહ્યુ, ‘દેવી, હું મારી નિષ્ફળતાને કારણે આટલો બધો ચિંતિત છું!’

‘આપ્ની નિષ્ફળતા? એ વળી કઈ?’

‘માનવીના સર્જનમાં હું સાવ નિષ્ફળ ગયો છું.

દેવી, મેં માનવીમાં અસીમ શક્તિઓનું આરોપણ કર્યુ, સફળતાના શિખરો સર કરી શકે, ધારે તે મેળવી શકે તેવી બુદ્ધિ અને શક્તિ આપ્યા. અને આ બધું મેળવવા માટે બે હાથ આપ્યા છતાં પણ એ બેહાલ બની ગયો.’

‘કેવી રીતે?’

‘દેવી, જુઓ તો ખરા પૃથ્વી પર બહું ઓછા માણસો પોતાના હાથ અને બુદ્ધિનો ઉપયોગ કરીને સફળ થઈ રહ્યાં છે. બાકી મોટાભાગના લોકો કામ કરવા

Jun 16, 2014

સમજણ...

એક માણસને ચાર પુત્ર હતા. તે ઇચ્છતો હતો કે તેના પુત્રો શીખે કે કોઈ વિષય કે વસ્તુ વિશે ઝડપથી અભિપ્રાય બાંધી લેવો જોઈએ નહીં. તેથી તેણે પોતાના દરેક પુત્રને વારાફરતી દૂર દેશમાં આવેલું એક ‘પેર’નું વૃક્ષ શોધી કાઢવાની યાત્રા પર મોકલ્યા. પહેલો પુત્ર શિયાળામાં ગયો. બીજો પુત્ર વસંતઋતુમાં, ત્રીજો ઉનાળામાં અને ચોથો સૌથી યુવાન પુત્ર પાનખરમાં નીકળ્યો.

તેઓ બધા જઈને પાછા ફર્યા એટલે તેણે બધાને એકસાથે બોલાવ્યા અને પોતાના અનુભવો વર્ણવવા કહ્યું. પહેલા પુત્રે કહ્યું : ‘પેર’નું ઝાડ કદરૂપું, વાંકું વળેલું અને વાંકુંચૂકું હતું.’ બીજા પુત્રે કહ્યું : ‘ના, એ તો લીલી કળીઓથી અને આશાથી ભર્યુંભર્યું હતું. ત્રીજો પુત્ર કહે : ‘હું તમારા

Apr 27, 2014

ચૂંટણી સ્વયંવરમાં સાચા ‘નળરાજા’ને વરમાળા પહેરાવીએ...!

એક રાજા હતો. તેની રાજકુમારીનું નામ દમયંતી હતું. તેના માટે સ્વયંવર સમારંભ યોજાયો. દમયંતીએ તેની ચતુર અને બુદ્ધિમાન સખી દ્વારા અગાઉથી બધી માહિતી મેળવી લીધી હતી. કયા દેશમાંથી - પ્રદેશમાંથી કયા રાજકુમાર સ્વયંવરમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે, તે તમામ રાજકુમારોની યોગ્યતા, રાજા તરીકેના સામર્થ્ય, સદ્ગુણો, બુદ્ધિપ્રતિભા, વ્યક્તિત્વ, નેતૃત્વ ક્ષમતા અને એ ઉપરાંત એક ભાવિ પતિ તરીકેની સંવેદનશીલતા અને ક્ષમતા વગેરે પણ દમયંતીએ અગાઉથી જાણી લીધેલ. નિશ્ર્ચિત દિવસે સ્વયંવર સમારંભનો પ્રારંભ થયો.

રાજાએ સ્વયંવર વિધીના પ્રારંભની ઉદ્ઘોષણા કરાવી. દમયંતી મંદસ્મિત અને કમનીય ચાલથી એક પછી એક રાજકુમારોની નજીક જઈને, તેઓ વિશે પ્રત્યક્ષ મૂલ્યાંકનના પ્રયાસોમાં કાર્યરત બની. સમગ્ર સભામંડપ્નો ચકરાવો લેતા... અંત ભાગમાં દમયંતી નળરાજા સમક્ષ આવી પહોંચી.

પરંતુ સહસા દમયંતીને એ જોઈ અત્યંત આશ્ર્ચર્ય સાથે આંચકો લાગ્યો કે, સિંહાસના‚ઢ એ નળરાજા એકલા નહોતા. તદ્દન એક સરખા - જોડિયા ભાઈઓ જેવા ત્યાં એક સાથે પાંચ નળરાજા હતા !

દમયંતીએ તેની વિચક્ષણ બુદ્ધિપ્રતિભા અને નીરક્ષીર વિવેકયુક્ત હંસમતિથી શાંત અને ઊંડી વિચારણા કરી, અંતે એ પાંચ એક સરખા જણાતા નવરાજાઓમાંથી સાચો નળરાજા શોધી કાઢ્યો. હકીકત એ હતી કે, સ્વર્ગના દેવતાઓ દમયંતીનો મનોભાવ અગાઉથી જાણી લઈને નળરાજાના સ્વાંગમાં આવી પહોંચ્યા હતા. તેઓએ દમયંતીને છલવાનો દુષ્પ્રયાસ કર્યો, પરંતુ પોતાની વિવેકબુદ્ધિ અને નિરક્ષિર વિવેકદ્ષ્ટિથી દમયંતી સાચા નળને ઓળખી શકી. સ્વયંવર સભામાં દમયંતીની વરમાળા સાચા - માનવીય નળરાજાના કંઠમાં શોભી રહી. સર્વત્ર જયજયકાર ધ્વની ગુંજી રહ્યો....

16મી લોકસભા ચૂંટણીઓમાં પણ આ સ્વયંવરસભામાં નકલી નળરાજાઓની છલના જ્યારે પુરબહારમાં છે, ત્યારે મતદાતા‚પ ‘દમયંતી’ માટે યક્ષપ્રશ્ર્ન છે : સાચો નળરાજા કોણ ?

ભારતની પ્રબુદ્ધ, સુજ્ઞ અને કોઠાસુઝવાળી મતદાતા‚પ દમયંતી આ ચૂંટણી સ્વયંવરમાં અસલી નળરાજાને ઓળખી - પહેચાનીને સ્વયંવરની વરમાળા માનવીય સદ્ગુણોયુક્ત અને સંવેદનક્ષમ નળરાજાને પહેરાવશે...?

અધૂરું નહીં પણ સંપૂર્ણ દર્શન જરૂરી

એકવાર એક ગામમાં એક હાથી આવ્યો. એને જોવા નાના મોટા સૌ ભેગા મળ્યા. બધા જ હાથીની ચર્ચા કરતા રહ્યા. એ ગામમાં દસ આંધળા રહેતા હતા. તેમણે વિચાર્યું કે ચાલો, આપણે પણ હાથી જોવા જઈએ. લોકો એમને હાથી પાસે લઈ ગયા. એમણે હાથીના શરીરને સ્પર્શ કર્યો. જેણે પગ પર હાથ ફેરવ્યો એણે કહ્યું કે હાથી થાંભલા જેવો છે. જેના હાથમાં હાથીની પૂંછડી હતી તે બોલ્યો, ‘અરે ! હાથી તો મોટા દોરડા જેવો છે.’ ત્રીજાએ હાથીના કાન પકડ્યા હતા. તે કહે : ‘હાથી શું છે ? એને એક જાતનું સૂપડું જ માની લો ને !’ જેનો હાથ હાથીની પીઠ પર ર્ફ્યો હતો એણે જાહેર કર્યું કે, ‘હાથી દીવાલ જેવો છે.’ આ રીતે સૌ પોતપોતાની અનુભૂતિ પ્રમાણે આવેગપૂર્વક પોતાની વાત કહેવા લાગ્યા. એમનામાં મોટો વિવાદ થઈ ગયો. આખરે એક દેખતા માણસે એમને સમજાવ્યું, ‘અરે ! તમે તો કેવળ હાથીના એક જ અંગને સ્પર્શ કર્યો છે. એને જ તમે સંપૂર્ણ હાથી માની બેઠા છો. આ બધું ભેગું કરી એમાં બીજી બાબતો ઉમેરીશું ત્યારે હાથીનું વર્ણન પૂરું થશે.’

સાર એ છે કે કોઈપણ ચીજ વસ્તુ કે વ્યક્તિનું અધુરૂ નહીં પણ સંપૂર્ણ દર્શન અત્યંત જરૂરી બને છે. એકાંગી અને મર્યાદિત વૃત્તિ નષ્ટ થાય અને સમાજની દ્ષ્ટિ સાર્વભૌમ, સાર્વદેશિક, સાર્વજનિક અને સર્વહિતકારી બને એ જ કાર્ય મહત્ત્વનું છે.

Mar 27, 2014

માખણ ઓછુ કેમ આવે છે ?

એક શહેરના મધ્યભાગમાં બેકરીની એક દુકાન હતી. બેકરીની અમુક વસ્તુઓ બનાવવા માટે એને માખણની જરુર પડતી હતી.આ માખણ બાજુમાં આવેલા ગામડામાંથી એક ભરવાડ પાસેથી ખરીદવામાં આવતું હતુ.

એકદિવસ બેકરીના માલિકને એવુ લાગ્યુ કે માખણ જેટલુ મંગાવ્યુ એના કરતા થોડું ઓછુ છે. એણે નોકરને બોલાવીને માખણનું વજન કરવાની સુચના આપી. નોકર માખણનું વજન કરીને લાવ્યો. માખણનું વજન 900ગ્રામ હતું. એકકીલો માખણ ખરીદવામાં આવેલું પણ તેના બદલે 100 ગ્રામ ઓછુ માખણ મળતા વેપારીને બહુ ગુસ્સો આવ્યો.

વેપારીએ નક્કી કર્યુ કે આવુ કેટલા દિવસ ચાલે છે તે જોવુ છે એણે ભરવાડને માખણ ઓછુ હોવા વિષે કોઇ વાત ન કરી. રોજ માખણ ઓછુ જ આવતુ હતું. થોડા દિવસ સુધી આ જોયા બાદ વેપારીએ ભરવાડની સામે કોર્ટમાં છેતરપીંડીની ફરીયાદ કરી.
કોર્ટ દ્વારા કેઇસની સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે ન્યાયધીશે ભરવાડને પુછ્યુ , " તારી સામે જે આરોપ મુકવામાં આવ્યા છે તેના બચાવમાં તારે કોઇ રજુઆત કરવી છે કે કોઇ વકીલ રોકવા છે ?"


ભરવાડે હાથ જોડીને કહ્યુ , " જજ સાહેબ, હું તો ગામડામાં રહેતો સાવ અભણ માણસ છું. માખણનું વજન કરવા માટે મારા ઘરમાં વજનીયા નથી. અમે ગામડાના માણસો નાના પથ્થરના વજનીયા બનાવીને જ વસ્તુ આપીએ. પણ અમારા આ પથ્થરના વજનીયા વેપારીના વજનીયા કરતા વધુ વજનદાર હોય બસ એટલી મને ખબર છે.
"

જજે સામે પ્રશ્ન પુછ્યો , " તો પછી રોજ 100 ગ્રામ માખણ ઓછુ કેમ આવે છે ? "

ભરવાડ કહે , " સાહેબ , એનો જવાબ તો આ વેપારી જ આપી શકશે. કારણ કે હું રોજ એમને ત્યાંથી એક કીલો બ્રેડ ખરીદુ છું અને એમની પાસેથી ખરીદેલી બ્રેડને જ વજનીયા તરીકે ઉપયોગ કરીને એમને એક કીલો માખણ આપુ છું."

મિત્રો , જીવનમાં બીજા કરતા ઓછું મળે ત્યારે રાડારાડી કરવાને બદલે જરા વિચાર કરવાની જરુર છે કે મેં બીજાને શું આપ્યુ છે ? આપણે જે બીજાને આપીએ એ જ અન્ય દ્વારા આપણા તરફ પરત આવતું હોય છે

Mar 1, 2014

સરકાર ગરીબોનો ભાર ચડાવે કે ઉતારે...?

આઝાદી પૂર્વેના વડોદરા દેશી રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ એકવાર તેમની વડોદરા કાલેજના પ્રાધ્યાપક તરીકે કામ કરતા અરવિંદ ઘોષ સાથે વહેલી સવારના ઘોડેસવારી કરતાં કરતાં ફરવા નીકળ્યા હતા. શિયાળાની સવાર હતી અને ધુમ્મસ છવાયેલું હતું. એ બંને માર્ગ ઉપરથી પસાર થતા હતા ત્યારે રસ્તાની એક તરફથી એક ગરીબ બાઈનો અવાજ આવ્યો : ‘ભાઈ, ટોપલો ચડાવશો ?’ ઘોડાની લાદથી ભરાઈને પૂરેપૂરો લદાયેલો એ ટોપલો એ બાઈ એકલે હાથે પોતાને માથે મૂકી શકે તેમ ન હતી. એટલે એણે એ બંનેને વિનંતી કરી હતી, પણ એને ખબર ન હતી કે એ કોને વિનંતી કરી રહી છે, પરંતુ બાઈની વિનંતી સાંભળીને શ્રીમંત મહારાજા સયાજીરાવ પોતે ઘોડા ઉપરથી નીચે ઊતર્યા અને એમણે એ ભારે ટોપલો બાઈના માથા ઉપર ચડાવી આપ્યો. એ જોઈને સાથે રહેલા અરવિંદ ઘોષ હસી પડ્યા. એટલે મહારાજાને નવાઈ સાથે દુ:ખ પણ થયું. તેમણે તેમને એ રીતે હસવાનું કારણ પૂછ્યું ત્યારે જવાબમાં અરવિંદ ઘોષે જણાવ્યું હતું : ‘મને હસવું એટલા માટે આવે છે કે મહારાજા સયાજીરાવ જેવા શ્રીમંત સરકાર ગરીબ બાઈનો ભાર ચડાવે કે ઉતારે ?’ મહારાજા એ ટકોર સમજી ગયા. એટલે પછી એ ગરીબ બાઈને વડોદરા રાજ્ય સરકાર તરફથી કાયમી વર્ષાસન બાંધી આપવામાં આવ્યું અને એ ગરીબ બાઈનો ભાર કાયમ માટે ઊતરી ગયો. આવી હતી પોતાના રાજ્યના સામાન્ય માનવી પ્રત્યેની મહારાજા સયાજીરાવ ગાયકવાડની સંવેદનશીલતા....

Feb 24, 2014

સાચી અહિંસા

ભગવાન બુદ્ધ અહિંસાના સર્વશ્રેષ્ઠ પૂજારી હતા. એમણે અહિંસાનો સ્પષ્ટ અર્થ કર્યો છે. એક વખત રાજાને ખબર પડી કે શત્રુનું આક્રમણ થયું છે તો એમણે સેનાપતિને બોલાવી કહ્યું, ‘લશ્કર લઈ જાવ અને આક્રમણનો સામનો કરો.’

સેનાપતિએ હિંસાના ડરથી ભગવાન બુદ્ધનું શરણું શોધ્યું. ભગવાનને પૂછ્યું, ‘આક્રમણ રોકવા લડાઈ કરવી પડશે અને એમાં શત્રુના લોકો માર્યા જશે. હિંસા થશે. આવી હિંસા કરવી યોગ્ય છે ખરી ?

ભગવાન બુદ્ધે સેનાપતિને પૂછ્યું, ‘તમારી સેના આક્રમણને રોકશે નહિ, તો એ આક્રમકો પાછા ફરશે ?’

‘ના.’

‘આક્રમકો આપણા રાજ્યમાં આવી વિધ્વંસ નહિ કરે ? નિરપરાધ સ્ત્રી - પુરુષો માર્યા નહિ જાય ?’

‘એ તો ચોક્કસ માર્યા જશે.’ સેનાપતિએ જવાબ આપ્યો.

‘આપણી સેના આક્રમણ રોકવા સમર્થ છે કે નહિ ?’ ભગવાન બુદ્ધે ફરી પૂછ્યું.

સેનાપતિએ કહ્યું, ‘ચોક્કસ સમર્થ છે. સેનાને હુકમ આપવામાં આવશે તો એ લડશે અને આક્રમકોને રોકવા સફળ થશે.’

ભગવાને નિર્ણય સંભળાવ્યો : ‘તમે આક્રમકોને સૈન્યની મદદથી રોકશો નહિ તો અસંખ્ય નિર્દોષ લોકોની હત્યાનું પાપ તમને લાગશે. આથી યુદ્ધ કરો. આક્રમકોને ભગાડો. આવા યુદ્ધમાં જે મરશે એનું પાપ તમને નહિ લાગે.’

Feb 16, 2014

સાતત્યની મહત્તા

આજકાલ લોકોનું જીવન એટલું બધું અસ્તવ્યસ્ત અને અનુશાસનહીન થઈ ગયું છે કે નિયમપૂર્વક કામ કરવાની યોગ્યતા ઓછી થઈ ગઈ છે. લોકો સામે કોઈ લક્ષ્ય નહીં હોવાથી નિયમિત કામ કરવાની રુચિ રહેતી નથી. એમને એ દુ:ખદ લાગે છે.

જે મકાનમાં શ્રી ગુરુજી રોકાયા હતા, એમાં એક પરીક્ષાર્થી વિદ્યાર્થી પણ રહેતો હતો. એણે આખું વર્ષ વાંચ્યું જ ન હતું. ગુરુજીની દાઢી જોઈ એને લાગ્યું કે આ કોઈ બાબા હશે. એ એમની પાસે ગયો અને એણે કહ્યું, ‘મારું મન અભ્યાસમાં લાગતું નથી. મનને એકાગ્ર કરવા શું કરું ?’

ગુરુજીએ એને કેટલીક વિધિ બતાવી. એણે તરત જ પૂછ્યું, ‘મારે આ બધું કેટલા દિવસ કરવું પડશે ?’

ગુરુજી કહે, ‘આનાથી ફાયદો થાય તો કાયમ કરતા રહો.’

‘એ તો મારાથી નહિ બને,’ વિદ્યાર્થીએ કહ્યું, ‘કોઈ પણ કામ નિત્ય નિરંતર કરવું નહિ એવો મારો જીવનસિદ્ધાંત છે.’

‘આ નિયમ પણ તું નિત્ય નિરંતર પાળીશ ?’ ગુરુજીએ પૂછ્યું અને કહ્યું, ‘જો તારી આવી જ નીતિરીતિ હશે તો તને ક્યારેય સફળતા નહિ મળે. જાવ, મોજમજા કરો.’

Feb 7, 2014

વર્તમાનનો આનંદ

એક વર્ગમાં પ્રોફેસરે વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવીને તેના હાથમાં એક પાણીથી ભરેલો ગ્લાસ આપ્યો અને કહ્યું કે તારે આ ગ્લાસને પકડીને ઊભા રહેવાનું છે. વિદ્યાર્થીને આ કામ તો બહુ જ આસાન લાગ્યું. એ ગ્લાસ પકડીને ઊભો રહ્યો. થોડો સમય થયો એટલે વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ, હવે હાથ થોડો થોડો દુ:ખે છે આ ગ્લાસને પકડી રાખવાથી. પ્રોફેસરે કહ્યું ભલે દુ:ખે, તું એમ જ પકડી રાખ. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વિદ્યાર્થીની દુખાવાની ફરિયાદ વધતી ગઈ અને એક સમય તો એવો આવ્યો કે સાહેબની મંજૂરી મેળવ્યા વગર જ પેલો ગ્લાસ ધડામ કરતો નીચે મૂકી દીધો.

પ્રોફેસરે વિદ્યાર્થીને પૂછ્યું કે બેટા, હવે કેવું લાગે છે ?

વિદ્યાર્થીએ કહ્યું, અરે સાહેબ, વાત જ કરો મા. બહુ મોટો ભાર હળવો થયો હોય એમ લાગે છે, બહુ જ રિલેક્ષ ફિલ કરું છું.

મિત્રો, આપણે બધા પણ આપણા ભૂતકાળની કેટલીક એવી ઘટનાને પકડી રાખીએ છીએ. એને જેટલી વાર યાદ કરીએ એટલી વાર વધુ ને વધુ દુ:ખી થઈએ છીએ. એ ભૂતકાળની આવી યાદો વર્તમાનનો આનંદ પણ લેવા દેતી નથી. પેલા પાણીના ગ્લાસની જેમ આવી યાદોને પણ છોડતાં શીખીએ તો કેવા હળવા થઈ જઈએ.....

Feb 1, 2014

પિતાજીની સલાહ

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ તે દિવસોમાં રામેશ્ર્વરની શાળામાં ભણતા હતા. તેમના પિતાજી જૈનુલાબદ્દીન રામેશ્ર્વર પંચાયત મંડળના પ્રમુખ હતા. એક માણસ તેમના ઓરડામાં આવ્યો અને પૂછ્યું તમારા પિતાજી ક્યાં છે ? તેમણે કહ્યું કે તેઓ નમાઝ પઢવા માટે ગયા છે. તે વ્યક્તિએ એક પેકેટ પકડાવતાં કહ્યું, ‘આ તમારા પિતાજીને આપી દેજો. આ પુસ્તક તેમને ભેટ આપવા માટે જ આવ્યો હતો.’

પિતાજી પાછા આવ્યા તો તેમણે ખાટલા પરનું પેકેટ જોઈને પૂછ્યું, ‘પેકેટ કોણ આપી ગયું ?’ પુત્રે જવાબ આપ્યો, ‘કોઈ ભેટ આપવા માટે આવ્યા હતા, તે મૂકીને ગયા છે.’ પિતાજીએ પેકેટ ખોલ્યું તો તેમાંથી ધોતી, ઉપવસ્ત્ર અને મીઠાઈ નીકળ્યાં. તેઓ ગુસ્સે થયા અને પુત્રના ગાલ પર લાફો મારતાં કહ્યું, ‘એક વાત બરોબર સમજી લે કે અમુક સ્થાન પર પહોંચ્યા પછી કોઈ ભેટ આપે છે તો તેની પાછળ જરૂર કોઈ ને કોઈ સ્વાર્થ છુપાયેલો હોય છે. તે તમારી પાસે ખોટું કરાવવાની અપેક્ષા રાખે છે, જો ભવિષ્યમાં તને પણ કોઈ હોદ્દો મળે અને આ પ્રમાણે કોઈ લાભ-લાલચ આપવાનો પ્રયાસ કરે તો તેને કદી પણ સ્વીકારતો નહીં.’ અબ્દુલ કલામે તે જ વખતે સંકલ્પ કર્યો કે તેઓ જીવનમાં ક્યારેય પણ કોઈની ભેટનો સ્વીકાર નહીં કરે.

Jan 15, 2014

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નિર્ભિકતા

વંદેમાતરમ્ ગીત તથા ‘આનંદમઠ’ નવલકથાના રચનાકાર બંકિમચંદ્ર ચટોપાધ્યાય એ દિવસોમાં ખુલના (પશ્ર્ચિમ બંગાળ)માં ન્યાયાધીશ હતા. એકવાર એક અંગ્રેજ અધિકારીએ દારૂના નશામાં ચૂર થઈને હાથીની સૂંઢમાં મશાલ બાંધીને એક ગામડાની ઝૂંપડીઓને બાળી મૂકી. મેજિસ્ટ્રેટે પોલીસને હુકમ કર્યો કે તે ગોરા અંગ્રેજ અધિકારીને પકડીને હાજર કરવામાં આવે. તે અધિકારી પોતાની પાસે હંમેશા પિસ્તોલ રાખતો હતો, તેથી પોલીસ જમાદાર તેની સામે ઊભેલો છતાં તેને પકડવાની હિંમત કરી શક્યો નહીં. બંકિમચંદ્ર અદાલતમાંથી બહાર આવ્યા અને તે અત્યાચારીને પકડીને મેજિસ્ટ્રેટની સામે રજૂ કર્યો. નિયમ પ્રમાણે અંગ્રેજનો કેસ ભારતીય ન્યાયાધીશની અદાલતની જગ્યાએ ઉચ્ચ ન્યાયાલયમાં અંગ્રેજ ન્યાયાધીશની અદાલતમાં રજૂ કર્યો. બંકિમચંદ્રે ઉચ્ચ ન્યાયાલયમાં પહોંચીને તે ગોરા અધિકારીની વિરોધમાં જુબાની આપી અને ત્યાં સુધી શાંતિથી બેઠા નહીં જ્યાં સુધી તેને સજા મળી નહીં. આગળ જતાં આ જ બંકિમચંદ્રબાબુનું રચેલું વંદેમાતરમ્ ગીત ક્રાંતિકારીઓ અને સૌ ભારતવાસીઓની પ્રેરણાનો સ્રોત બનીને અમર થઈ રહ્યું.