Jul 15, 2014

ગુરુદક્ષિણા

સાંદીપનિ મુનિએ શ્રીકૃષ્ણ તથા બલરામ ક્ષત્રિયો હોવાથી તેમને યુદ્ધ-વિજ્ઞાન, રાજનીતિ તેમજ ગણિતશાસ્ત્રમાં વિશિષ્ટ તાલીમ આપવામાં આવી. અભ્યાસ પૂરો થતાં વિદાય લેતી વખતે શ્રીકૃષ્ણ ગુરુદેવ પ્રત્યે વિનમ્ર ભાવે બોલ્યા, ‘ગુરુજી, આપ્ના આશ્રમમાં તો મેં જ્ઞાન લીધા જ કર્યું. જ્ઞાન અને પ્રેમની

મોજ માણી. આપ્નું અમારા પરનું ઋણ અપાર છે. હવે આપ્ને કંઈક આપવાનું મન થાય છે. તો અમે આપ્ને ગુરુદક્ષિણામાં શું આપીએ?

આખરે ગુરુપત્નીએ શ્રીકૃષ્ણને કહ્યું, અમારા એકના એક પુત્રને રાક્ષસ ઉપાડી ગયો છે. એ પુત્ર પાછો

Jul 8, 2014

અને પંડિતજી બચી ગયા

એક નાનકડું ગામ હતું. એમાં એક પંડિતજી રહે. તેઓ આસપાસનાં ગામોમાં પણ જાણીતા હતા. તેમાંના એક ગામમાં એક મંદિરના પૂજારીનું અવસાન થયું. એટલે આ પંડિતજીને એ મંદિરના પૂજારી બનાવી દીધા.

એક દિવસ બસમાં બેસીને પંડિતજી જઈ રહ્યા હતા. કંડક્ટર પાસે આવ્યો એટલે તેમણે ટિકિટ માગી અને રૂપિયા આપ્યા. આપેલી રકમમાંથી ટિકિટના પૈસા કાપીને બીજા રૂપિયા પંડિતજીને પાછા આપ્યા. પંડિતે ગણ્યા તો દસ રૂપિયાની એક નોટ વધારાની આવી ગઈ હતી. પંડિતજીએ વિચાર્યું હમણા કંડક્ટરને દસ રૂપિયા પાછા આપું છું. કંડક્ટરને થોડી વાર લાગી એ દરમિયાન