Feb 24, 2016

સત્સંગની અસર

મગધના રાજા ચિત્રાંગદ પ્રજાવત્સલ હતા. તેમણે પોતાના રાજ્યમાં અનેક વિદ્યાલય, ચિકિત્સાલય અને અનાથ આશ્રમો ખોલાવ્યાં હતાં. એક દિવસ પોતાના પ્રજાજનોનાં સુખ-દુ:ખને નજીકથી અનુભવવા તે છૂપા વેશે નગરચર્યા પર નીકળ્યા. ક્યાંક બધું ઠીકઠાક હતું તો ક્યાંક થોડી મુશ્કેલીઓ પણ હતી. જે લોકો પરેશાન હતા તેમની તકલીફોનું તત્કાલ નિરાકરણ લાવવા તેઓએ પોતાના મંત્રીને આદેશ આપ્યો. પાછા ફરતી વખતે જંગલમાં તેમની મુલાકાત એક તેજસ્વી સંત સાથે થઈ. નાનીઅમથી ઝૂંપડીમાં રહેતા એ સંત નગરનાં બાળકોને ધર્મ-કર્મનું