May 25, 2016

જીવન એટલે . .

એક મહાત્મા પાસે આવી કોઈ શ્રદ્ધાળુએ એક પ્રશ્ર્ન કર્યો. જીવન એટલે શું ? થોડીવાર શાંત રહી મહાત્મા બોલ્યા : ‘એક વખત એક માણસ જંગલમાંથી પસાર થતો હતો. એવામાં એક ખૂંખાર સિંહ તેની ઉપર ચડી આવ્યો. પેલો મુસાફર અચાનક આવી ચડેલા સંકટથી એવો તો ગભરાઈ ગયો કે, દોડી ઝાડ પર ચડી જવાનું પણ તેને ભાન ન રહ્યું. તે ગભરાઈને ભાગવા લાગ્યો, સિંહ પણ તેને પકડવા તેની પાછળ ભાગ્યો. એટલામાં તેની નજર રસ્તામાં એક અવાવરુ કુવા પર પડી. સિંહથી બચવા માટે તેણે કૂવામાં કૂદકો લગાવી દીધો અને કૂવામાં વડલાનાં કેટલાંક મૂળિયાં બહાર નીકળ્યાં હતાં તેને પકડી પોતાની જાતને લટકાવી રાખી. અચાનક તેની નજર પડી તો કૂવામાં મગરો મોઢાં ફાડી તેના પડવાની રાહ જોઈ રહ્યા હતા. ઉપર સિંહ અને નીચે મગરો પેલા મુસાફરનો કોળિયો કરી જવા તલપાપડ હતા. હવે જે જગ્યાએ પેલો માણસ લટકેલો હતો તેની બરોબર ઉપર મધપૂડો હતો. તેમાંથી મધ ટપકી રહ્યું હતું. પેલો મુસાફર ટપકતાં મધના ટીપાનું આનંદપૂર્વક રસપાન કરી રહ્યો હતો. તેવામાં તો તે જે મૂળને પકડી લટકી રહ્યો હતો તેને એક કાળો અને

May 2, 2016

પંડિત મદનમોહન માલવીયજીનું ધર્મસ્વાભિમાન

કાશી-હિન્દુ વિશ્ર્વવિદ્યાલયના સંસ્થાપક પંડિત મદનમોહન માલવીયજી સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિના અનન્ય પૂજારી હતા. તેઓના કાર્યોથી પ્રભાવિત થઈ એક વખત કલકત્તા વિશ્ર્વવિદ્યાલયના ઉપકુલપતિએ પ્રસ્તાવ મોકાયો કે, ‘વિદ્યાલય તમને ડૉક્ટરેટની પદવીથી સન્માનિત કરવા માંગે છે’ મિત્રોએ કહ્યું, પ્રસ્તાવ મોકલ્યો. પ્રસ્તાવ વાંચી પંડિતજીના મિત્રવર્તુળમાં ખુશી છવાઈ ગઈ. ‘આ તો માત્ર તમારું જ નહીં, વારાણસી અને તેની જનતાનું પણ ગૌરવ ગણાય, તમારે આ પ્રસ્તાવ તત્કાળ સ્વીકારી લેવો જોઈએ.’ ત્યારે પંડિતજીએ કહ્યું, ‘આ પ્રસ્તાવ મારું, વારાણસીનું કે તેની જનતાનું સન્માન નહીં, અપમાન છે.’ તેઓએ કલકત્તા વિદ્યાલયને તત્કાળ વળતો પત્ર લખ્યો કે, ‘માનનીય મહોદય, તમારા પ્રસ્તાવ માટે ખૂબ ખૂબ આભાર, પરંતુ તમારો પ્રસ્તાવ મારા માટે નિરર્થક છે. હું જન્મે-કર્મે બ્રાહ્મણ છું અને એક બ્રાહ્મણ માટે પંડિતથી મોટી અન્ય કોઈ જ ઉપાધિ ન હોઈ શકે. મને ‘ડૉ. મદનમોહન