ભૂદાન આંદોલનના પ્રણેતા વિનોબા ભાવે પાસે એક દિવસ દારૂના વ્યસને ચડી ગયેલો યુવક આવ્યો અને હાથ જોડી કરગરવા લાગ્યો, ‘ગુરુજી, આ દારૂએ તો મને બરબાદ કરી નાખ્યો, મારે તેને છોડી દેવો છે, પણ કેમે કરીને છૂટતો જ નથી! આ વ્યસનથી મુક્તિ મેળવવાનો ઉપાય બતાવી મારો ઉદ્ધાર કરો.’
વિનોબાજીએ કહ્યું, ‘સારું બેટા, તું કાલે સવારે આવી મને બહારથી જ બૂમ મારજે. હું બહાર આવી તને તેમાંથી છુટકારાનો ઉપાય જણાવીશ.’
યુવક બીજે દિવસે પરત આવ્યો અને વિનોબાજીને બોલાવવા બૂમ પાડી. વિનોબાજીએ અંદરથી જ જવાબ આપ્યો, ‘બેટા, હું બહાર નહીં આવી શકું.’
પેલા યુવકે એનું કારણ પૂછતા વિનોબાજીએ