Oct 27, 2015

શું દૂષણોએ તેમને પકડી રાખ્યા છે?


ભૂદાન આંદોલનના પ્રણેતા વિનોબા ભાવે પાસે એક દિવસ દારૂના વ્યસને ચડી ગયેલો યુવક આવ્યો અને હાથ જોડી કરગરવા લાગ્યો, ‘ગુરુજી, આ દારૂએ તો મને બરબાદ કરી નાખ્યો, મારે તેને છોડી દેવો છે, પણ કેમે કરીને છૂટતો જ નથી! આ વ્યસનથી મુક્તિ મેળવવાનો ઉપાય બતાવી મારો ઉદ્ધાર કરો.’

વિનોબાજીએ કહ્યું, ‘સારું બેટા, તું કાલે સવારે આવી મને બહારથી જ બૂમ મારજે. હું બહાર આવી તને તેમાંથી છુટકારાનો ઉપાય જણાવીશ.’

યુવક બીજે દિવસે પરત આવ્યો અને વિનોબાજીને બોલાવવા બૂમ પાડી. વિનોબાજીએ અંદરથી જ જવાબ આપ્યો, ‘બેટા, હું બહાર નહીં આવી શકું.’

પેલા યુવકે એનું કારણ પૂછતા વિનોબાજીએ

Oct 21, 2015

કબીરની આદર્શવાદિતા

સંત કબીરજી આદર્શવાદી જીવન જીવ્યા. તેમની પુત્રીનાં લગ્ન આવ્યાં. પાસે પૈસા હતા નહીં. આથી તેમણે વિચાર કર્યો કે, મારી પાસે થોડું કાપડ વણેલું પડ્યું છે તે વેચીને પૈસાની કંઈક વ્યવસ્થા કરું. કાપડ ખભા પર મૂકીને ભરબપોરે જ તેઓ કાપડ વેચવા નીકળ્યા. રસ્તામાં એક વૃક્ષ નીચે આરામ કરવા રોકાયા. ત્યાં એક મુસાફર આવ્યો. કબીરજીએ તેને પૂછ્યું, ક્યાં જાઓ છો ભાઈ? તેણે જવાબ આપ્યો, કબીરજી પાસે.

કબીરજીએ કહ્યું - એમનું શું કામ છે?

મુસાફર - મારી ધોતી ફાટી ગઈ છે, સાંભળ્યું છે કે, કબીરજી નવી ધોતી આપે છે.

કબીરજીએ સાથે લાવેલ કાપડમાંથી તે મુસાફરને ધોતી જેટલું કાપડ ફાડી આપ્યું. પેલો મુસાફર ખુશ થયો અને બોલ્યો- હવે ટુવાલની કમી છે તે કબીર પાસેથી માંગી લઈશ. કબીરજીએ તે કાપડમાંથી ટુવાલ જેટલો ટુકડો ફાડી આપ્યો. પેલા મુસાફરે કહ્યું કે, ધોતી-ટુવાલ તો તમે આપી દીધાં. હવે ખમીસનું કાપડ કબીર પાસેથી માંગી લઈશ. આ સાંભળીને કબીરજીએ બાકી વધેલો કાપડનો ટુકડો પણ તે મુસાફરને આપીને કહ્યું કે આમાંથી ખમીસ બનાવી લેજો. આમ નિ:સ્વાર્થ ભાવથી સર્વસ્વ દાન કરીને કબીરજી ખાલી હાથે પાછા ઘેર આવી ગયા.

પરોપકાર જો નિત કરે, વહ સજ્જન કહલાય

સબકા જો શુભ ચિંતન કરે, વહ સર્વત્ર પૂજાય