ભારતના કોઇ સંત અથવા બાબા કોઇ કથિત ચમત્કાર કરે ત્યારે આપણા તથાકથિત બુદ્ધિજીવીઓ શોર મચાવે છે કે બાબા ઢોંગી છે. બુદ્ધિજીવીઓ પ્રામાણિકપણે એવુ માનતા હોય છે કે દુનિયામાં ચમત્કાર જેવી કોઇ વસ્તુ નથી અને બધું સાયન્સના નિયમો મુજબ ચાલે છે. તેમની પ્રામાણિકતાને સલામ કરીને પૂછવાનું મન થાય છે કે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાંસિસે ભારતની બે વ્યક્તિઓને સંતનો ખિતાબ આપવાનું નક્કી કર્યું છે તેનો તેઓ કેમ વિરોધ કરતા નથી? કારણ કે રોમન કેથોલિક ધર્મના નિયમ મુજબ સંતનો ખિતાબ ત્યારે આપવામાં આવે છે, જ્યારે તેમના દ્વારા સાયન્સની માન્યતા વિરુદ્ધ કોઇ ચમત્કાર કરવામાં આવ્યો હોય. જો ગુજરાતના અથવા ભારતના રેશનાલિસ્ટો ઘટનાનો વિરોધ કરે તો માનવું પડશે કે તેઓ પણ ઢોંગી છે.
રોમન કેથોલિક ચર્ચ દ્વારા તાજેતરમાં
રોમન કેથોલિક ચર્ચ દ્વારા તાજેતરમાં