Jul 28, 2013

ગુરુ - શિષ્ય પરંપરાના જ્યોતિપુંજ !

નરેન્દ્ર દત્ત પારસમણિશા ગુરુદેવ રામકૃષ્ણની પરમકૃપાથી સંયુક્ત રાજ્ય અમેરિકા(યુ. એસ. એ.)ની વિશ્ર્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ - એ હિન્દુ મંક આફ ઈન્ડિયા - એક ભારતીય સંન્યાસી તરીકે અપૂર્વ ખ્યાતિ પામ્યા. આ સંદર્ભમાં જ્યારે સ્વામીજીને પુછવામાં આવ્યું કે : આપ્ને આવી વિરલ સફળતા પ્રાપ્ત થઈ તેનું શું રહસ્ય છે ? વિવેકાનંદજીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું : ‘મેં જે વિચારો અહીં પ્રગટ કર્યા તે મારા વિચારો નથી. એ માટે તો મારા ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ (કે જેમણે કોઈ શાળા - કાલેજમાં ઔપચારિક શિક્ષણ મેળવ્યું નહોતું)ની મારા ઉપરની પરમકૃપા જ કારણભુત છે.’ ગુરુદેવ રામકૃષ્ણે તેમના અંતિમ દિવસોમાં તેમની તમામ આધ્યાત્મિક ઉર્જાનો શક્તિપાત નરેન્દ્રમાં કર્યો હતો અને તેનાથી નરેન્દ્રનું ‘વિવેકાનંદ’માં રૂપાંતર થયું હતું. ગુરુ પોતાનું સર્વસ્વ શિષ્ય માટે ન્યોછાવર કરે છે. પોતાનો શિષ્ય પોતાના કરતાં સવાયો બને તેવી અંતરની શુભકામના દાખવે છે. શિષ્ય પણ ગુરુનો ગુરુપદે સ્વીકાર કરતાં પહેલાં ગુરુને સંપૂર્ણપણે નાણી જુએ છે, પણ એકવાર ગુરુપદની ગરિમાની અનુભૂતિ થાય કે પછી શિષ્ય પૂર્ણ સમર્પણથી ગુરુચરણને હૃદયમાં સંસ્થાપિત કરે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ - શિષ્યનો સંબંધ અનિર્વચનીય અને અનુપમેય છે - રામકૃષ્ણ - વિવેકાનંદ પણ આવી જ વિરલ પરંપરાના જ્યોતિપુંજશા ભારતીય અધ્યાત્મ જગતને આલોકિત કરી રહ્યાં છે !

Jul 25, 2013

Scientific Reason behind Indian Punishment :

Remember the ‘good’ old Indian school punishments? Holding the earlobes with arms crossed over your chests, bending the knees and then sit and then stand and so on till the time Masterji is saying?

Ever thought why the traditional Indian school teachers would give this particular punishment? I believe even majority of the teachers who grant this punishment to their students do not know the reason behind it. This form of punishment has been in practice in our country since the Gurukul time and was given to the students who were weak in studies. That is a different question if now a days teachers grant this punishment for any mistake and not only for studies but originally it was meant for weak students only.
Talking about the logic behind this punishment, it is very interesting to know that this particular posture increases the blood flow in the memory cells in brain and synchronizes the right and left side of the brain to improve function and promote calmness, stimulates neural pathways via acupressure points in the earlobe, sharpens intelligence and also helps those with autism, asperger’s syndrome, learning difficulties and behavioral problems.

Probably we have forgotten this ancient method of increasing memory power but the West is now using is very diligently and they are recommending this posture or exercise to treat many a diseases.

બાળકના ઘડતરમાં માતાની ભૂમિકા

જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે ત્યારથી તેનુ જીવન બદલાઈ જાય છે. તેનુ પૂરું ધ્યાન બાળક તરફ રહે છે. બાળકના શારીરિક, માનસિક અને સામાજિક ઘડતરમાં માતાની ભૂમિકા અતિ મહત્ત્વની બની રહે છે. બાળકમાં સર્જનાત્મકતા ખિલે, મુક્તપણે રમી શકે તેવુ વાતાવરણનું નિર્માણ માતા કરે છે. બાળકને ક્યારે કઈ વસ્તુની જરૂરિયાત છે, તે માતા સારી રીતે સમજી શકે છે. તે ખૂબ જ ધીરજપૂર્વક બાળકના વિકાસમાં વિશિષ્ટ ભૂમિકા ભજવે છે.

બાળકની ટેવો, વર્તન, રસ-રુચિના વિકાસમાં તેની માતા ખૂબ જ ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવુ પડે છે. બાળકના કાર્યો, વિવિધ અવાજો દ્વારા વ્યક્તિની ઓળખ, વિવિધ પરિસ્થિતિમાં તેની લાગણીને માતા નિરીક્ષણ દ્વારા સમજી શકે છે. માતા એ જ બાળકની પ્રથમ શાળા છે. બાળકમાં આત્મવિશ્ર્વાસનું ઘડતર માતા જ કરે છે.

બાળકના ઘડતરની શરૂઆત ગર્ભાવસ્થાથી જ શરૂ થઈ જાય છે. માતા આ અવસ્થા દરમિયાન શું વાંચે, સાંભળે અને જુએ છે ? તેની અસર બાળકના ઘડતર પર ચોક્કસ થાય છે. બાળકના જન્મ પછી માતાએ બાળકના વિકાસના વિવિધ તબક્કાઓ તેમજ પાયાની લાક્ષણિકતાઓથી માહિતગાર થવું જોઈએ. જે તેને બાળકના યોગ્ય વિકાસ અને બાળક સાથેના વ્યવહારમાં મદદરૂપ થઈ શકે છે. માતા તરીકે બાળકના ઉછેરમાં તેનો સ્વભાવ, ટેવોથી માહિતગાર થવું જોઈએ. જે સમાજ, સંસ્કૃતિ, કુટુંબમાંથી માતા આવતી હોય તેની અસર બાળક પર ચોક્કસ પડે છે. પોતાની સંસ્કૃતિ અને સમાજ મુજબ બાળક પાસેની અપેક્ષાઓ રહે છે, તે મુજબ શિક્ષણની પ્રક્રિયા આગળ વધે છે. બાળકનો ઉછેર જે વાતાવરણમાં થાય છે તે તેના ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવે છે. હકારાત્મક વાતાવરણ બાળકનું હકારાત્મક ઘડતર કરે છે. માતા તરીકે બાળકને ઉત્તમ કક્ષાનું વાતાવરણ પૂરું પાડવું જોઈએ. અમુક ઘરમાં પતિ-પત્નીના ઝઘડાઓ, વ્યસની સભ્યો, ગુનેગાર વ્યક્તિઓ જેવી પરિસ્થિતિઓ બાળકના કુમળા માનસ પર નકારાત્મક અસર કરે છે. માતાએ ખૂબ જ કુનેહથી આવી અસરો ન પડે તેની કાળજી લેવી જોઈએ.

ઘણી માતાઓ બાળ ઉછેરની મહત્ત્વની ભૂમિકા અદા કરવામાં નિષ્ફળ જાય છે. માતાએ વધુ ને વધુ સમય બાળક સાથે વિતાવવો જોઈએ. જે માતા-પિતા બાળકને વધુ સમય આપી શકતા નથી, તેવા બાળકો ગુનાખોરી, વ્યસન, આત્મહત્યા, ઘરેથી ભાગી જવુ, માતા-પિતાના કહ્યામાં ન રહેવુ ના માર્ગે ચડી જાય છે. તેનાથી સામાજિક અધ:પતન થાય છે. ખૂબ મોડું થઈ જાય તે પહેલાં બાળકને સામાજિક, ધાર્મિક સંસ્કારો આપવા જોઈએ. સમાજમાં અનેક લાલબત્તી સમાન કિસ્સાઓ પ્રકાશમાં આવ્યે રાખે છે.

બાળકનો શૈક્ષણિક વિકાસ તેને ઘરમાંથી મળતા પ્રોત્સાહન, પ્રસંશા અને નૈતિક ટેકાને આધારિત હોય છે. માતા-પિતાએ પોતાનો ગુસ્સો બાળક પર ઉતારવો ન જોઈએ. આમ કરવાથી બાળકનો સામાજિક વિકાસ રુંધાય છે. જે માતા પોતાના બાળકની જરૂરિયાત, ઇચ્છાઓ, અપેક્ષાઓ પ્રત્યે સંવેદનશીલ ન હોય તો તેની અસર બાળકના વિકાસ પર પડે છે. માતાએ બાળક પ્રત્યે તંદુરસ્ત વ્યવહાર કરી તેને શ્રેષ્ઠ બાળક બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. જે માટે માર્ગદર્શક ટીપ્સ અહીં આપી છે. તેને અજમાવી જુઓ.
બાળક જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેની જરૂરિયાતથી વાકેફ થવુ જોઈએ. તેને માત્ર ખૂબ જ પ્રેમની વધુ જરૂર હોય છે.
બાળકના સર્વાંગી વિકાસ માટે એક માતા સંવેદનશીલ, સમજુ અને બાળ ઉછેરની જરૂરી પદ્ધતિઓથી જાણકાર હોવી જોઈએ.
બાળકના ધ્યેય વિચાર, અપેક્ષાઓ મુજબનું વાતાવરણ પૂરું પાડવું જોઈએ.

આમ, સમાજમાં માતા અને બાળકના સંબંધો સર્વ શ્રેષ્ઠ હોય છે. જોકે માતા ઘરકામ કરતી હોય કે નોકરી કરતી હોય, પોતાના બાળકને સારો નાગરિક બનાવવામાં પોતાની જવાબદારી ખૂબ સારી રીતે સમજી નિભાવવી જોઈએ. તેથી શિવાજી, ગાંધીજી જેવા મહાન સપૂતોનું નિર્માણ કરી શકાય.

પ્રેરકબિંદુ : એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે.

Jul 19, 2013

જીવ્યું લેખે લાગ્યું

સંતોની દુનિયાને દેશ-પરદેશ કે સીમ-સીમાડાની કેદ હોતી નથી. ભગવાનના કે ભગવાનના ભક્તોના ગુણ ગાતાં સ્થળ-કાળ જુએ કે થાકે-કંટાળે એ ભક્ત શેનો ? એ વ્યવસાયમાં વીતે તેટલો વખત જ લેખે, બીજો બધો કાલક્ષેપ અલેખે, એ એક જ હિસાબ સાચો છે, બીજી બધી આળપંપાળ છે.

એક સત્સંગીને મોઢે સાંભળેલી આ વાત છે.

એક ગામે કોઈ નવું ખેડૂતકુટુંબ વસવાટને ઇરાદે હળ-ઓજાર, ઘરવખરી લઈને આવ્યું. ગામભાગોળે તળાવની પાળે હારબંધ પાળિયા. દરેક ઉપર મરનારનું નામ અને આયુષ્યની અવધિ નોંધેલી છે. છ-બાર માસ, વરસ-બે વરસ; ત્રણ-ચાર વરસથી વધુ કોઈ નહીં !

ગામલોકો આટલા બધા અલ્પાયુષી ? કુટુંબે વસવાટનો નિર્ણય તત્કાળ ફેરવ્યો ને ગાડાં જોડી પાછાં જવા નીકળ્યાં.

ગામના ઘરડેરાઓએ આ જોયું ને પાછા વાળવા માણસ દોડાવ્યો, તે કુટુંબના મુખીને પાછો વાળી લાવ્યો.

‘કાં ? કેમ પાછા વળ્યા ? અમારો કાંઈ વાંકગુનો ?’

‘મા’જન, પાળિયા જોયા પછેં મન નો માન્યું. જે ગામમાં કોઈ પાંચ વરસેય નો જીવે, ત્યાં છોરુંવાછરું સોતાં રે’ણાંક કેમ કરીને કરાવો ?’

‘ભેરુ, તમે નો સમજ્યા. અમારું ગામ છે સત્સંગી. નારાયણને સંભારીએ એટલું જ જીવ્યું લેખે, બાકીનું અમે અલેખે ગણીએ. એટલે સૌ રોજરોજના નામકીર્તનની ઘડી નોંધે, ને મરે ત્યારે એટલું જ જીવ્યો એમ લખાય. ઈ નોંધ પાળિયા ઉપર છે. આ હૈયે બેસતું હોય તો તમતમારે નિરાંત જીવે ગાડાં પાછાં વાળો ને આવો.’

પેલાં પાછાં આવ્યાં ને જાતમહેનતે જીવી સત્સંગે ભવ તર્યાં.

Jul 3, 2013

કામનાઓ સામે સતત સાવધાન રહીએ

સવાર-સાંજ બે-પાંચ માળા ફેરવી એટલે જાણે બહુ મોટું પરાક્રમ કર્યું એમ ન માનશો. હરતાં-ફરતાં, બોલતાં-ચાલતાં, જાણ્યે-અજાણ્યે અનેક પાપ થઈ જતાં હોય છે. એટલે જ તો ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ હૈયું ખોલતાં અર્જુને કહ્યું હતું : ‘મારી ઇચ્છા નથી હોતી કે હું ખોટું કામ કરું. છતાં, બળપૂર્વક મારી પાસે ખોટું કામ કોઈ કરાવે છે અને આપ્ની પાસે રહેવા છતાં હું ખોટા કામમાં ઘસડાઈ જાઉં છું.’

ત્યારે ભગવાને કહ્યું હતું કે, ‘અર્જુન, વ્યક્તિ જો સજાગ હોય તો, દુનિયાની કોઈ તાકાત એની પાસે દબાણથી કશું કરાવી શકતી નથી. નાના બાળકને જબરદસ્તીથી દૂધ પણ પાઈ શકાતું નથી; તો પછી મનની પાસે જબરદસ્તીથી કશુંય કરાવી શકાય એ શી રીતે બને ? ખરી વાત એ છે કે માનવીનું મન ગાફેલ બનીને બૂરાઈમાં જોડાઈ જાય છે અને કામનાઓમાં ઘસડાઈ જાય છે. એટલે એને એમ લાગે છે કે એની ઉપર જબરદસ્તી થઈ. માનવીનું મન જો સતત સાવધાનતા રાખી શકે અને કામનાઓના વેગને કાબૂમાં રાખી શકે, તો મનને માટે ઘસડાઈ જવાનો કે જીવનને માટે ખોટાં કામો પરાણે કરવાં પડવાનો સવાલ જ ઊભો ન થાય.’ એટલે કે જીવનમાં જાણ્યે-અજાણ્યે થતાં પાપથી બચવાનો એકમાત્ર ઉપાય કામનાઓ સામેની સતત સાવધાની છે. આ સાવધાની સતત સાધના-પ્રયત્ન વડે જ સંભવી શકે છે.