Jun 26, 2014

સિંહબાળ : લવ-કુશ

લંકા વિજય પછી અયોધ્યામાં શ્રીરામનો રાજ્યાભિષેક થયો. અયોધ્યાના એક ધોબીના કટુવચનો સાંભળીને રાજા રામે પ્રાણપ્રિય પત્ની સીતાજીનો ત્યાગ કર્યો. સીતાજીને સગર્ભાવસ્થાામાં જ વાલ્મિકી આશ્રમમાં આશ્રય લેવાની ફરજ પડી. લવ-કુશ જોડીયા દીકરાઓને જન્મ આપીને, સીતામાતાએ બંને પુત્રોનો રઘુકુળની ઉજ્જ્વળતમ પરંપરા અનુસાર ઉછેર કર્યો અને તેમનામાં સાહસનાં ગુણોનું સિંચન કર્યું.

થોડા વર્ષો બાદ શ્રીરામે અશ્ર્વમેધ યજ્ઞનું આયોજન કર્યું. ભરત અશ્ર્વમેધ યજ્ઞનો અશ્ર્વ લઈને ફરતાં હતા. એ અશ્ર્વને જે અટકાવે એની સાથે યુદ્ધ કરવાનું હતુ. એક દિવસ ફરતાં ફરતાં ભરત વાલ્મીકી આશ્રમે આવી પહોંચ્યા. લવ-કુશે યજ્ઞનાં અશ્ર્વને પકડીને

Jun 19, 2014

માનવીને ગમ્યું તે ખરૂં

એક દિવસ ભગવાન વિષ્ણુને ચિંતાતુર જોઈ લક્ષ્મીજીએ પૂછ્યુ, ‘ભગવન્, આપ બહું ચિંતિત જણાવ છો? કારણ શું છે?’

ભગવાને શોકગ્રસ્ત અવાજે કહ્યુ, ‘દેવી, હું મારી નિષ્ફળતાને કારણે આટલો બધો ચિંતિત છું!’

‘આપ્ની નિષ્ફળતા? એ વળી કઈ?’

‘માનવીના સર્જનમાં હું સાવ નિષ્ફળ ગયો છું.

દેવી, મેં માનવીમાં અસીમ શક્તિઓનું આરોપણ કર્યુ, સફળતાના શિખરો સર કરી શકે, ધારે તે મેળવી શકે તેવી બુદ્ધિ અને શક્તિ આપ્યા. અને આ બધું મેળવવા માટે બે હાથ આપ્યા છતાં પણ એ બેહાલ બની ગયો.’

‘કેવી રીતે?’

‘દેવી, જુઓ તો ખરા પૃથ્વી પર બહું ઓછા માણસો પોતાના હાથ અને બુદ્ધિનો ઉપયોગ કરીને સફળ થઈ રહ્યાં છે. બાકી મોટાભાગના લોકો કામ કરવા

Jun 16, 2014

સમજણ...

એક માણસને ચાર પુત્ર હતા. તે ઇચ્છતો હતો કે તેના પુત્રો શીખે કે કોઈ વિષય કે વસ્તુ વિશે ઝડપથી અભિપ્રાય બાંધી લેવો જોઈએ નહીં. તેથી તેણે પોતાના દરેક પુત્રને વારાફરતી દૂર દેશમાં આવેલું એક ‘પેર’નું વૃક્ષ શોધી કાઢવાની યાત્રા પર મોકલ્યા. પહેલો પુત્ર શિયાળામાં ગયો. બીજો પુત્ર વસંતઋતુમાં, ત્રીજો ઉનાળામાં અને ચોથો સૌથી યુવાન પુત્ર પાનખરમાં નીકળ્યો.

તેઓ બધા જઈને પાછા ફર્યા એટલે તેણે બધાને એકસાથે બોલાવ્યા અને પોતાના અનુભવો વર્ણવવા કહ્યું. પહેલા પુત્રે કહ્યું : ‘પેર’નું ઝાડ કદરૂપું, વાંકું વળેલું અને વાંકુંચૂકું હતું.’ બીજા પુત્રે કહ્યું : ‘ના, એ તો લીલી કળીઓથી અને આશાથી ભર્યુંભર્યું હતું. ત્રીજો પુત્ર કહે : ‘હું તમારા