Oct 9, 2012

ધર્મની ભૂમિકા

માણસનું જીવન સમાજનાં વ્યાપક હિતોની સાથે સૂર મેળવે તેવું હોવું જોઈએ. આ બંને પાસાં પરસ્પરનાં પૂરક છે.


यतोऽभ्युदय निःश्रेयससिद्धिः सधर्मः


અર્થાત્ ધર્મ એવી વ્યવસ્થા છે. જે મનુષ્યને સુખી ભૌતિક જીવનનો આનંદ માણતાં માણતાં પણ તૃષ્ણાઓ પર નિયંત્રણ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેનામાં દિવ્યતા અને શાશ્ર્વત સત્યની અનુભૂતિ કરવાની ક્ષમતા જગાડે છે.


બીજા પાસાની વ્યાખ્યા છે -


धारणात् धर्ममित्याहुः धर्मोःधारयति प्रजाः।


અર્થાત્ ધર્મ એવી શક્તિ છે, જે વ્યક્તિઓને નજીક લાવે છે અને તેમને સમાજના સ્વરૂપમાં એકત્ર રાખે છે.


આ બંને વ્યાખ્યાઓનું એકત્રીકરણ બતાવે છે કે ધર્મની સંસ્થાપ્ના કરવી એટલે સંગઠિત સમાજજીવનની રચના કરવી. જ્યાં પ્રત્યેક વ્યક્તિ બીજાનું ભૌતિક જીવન વધુ સમૃદ્ધ અને સુખી બને એવી ભાવના સેવે.


સમાજ અને રાષ્ટ્રના ભલા માટે ઉપયોગમાં લેવા લાયક બનવા - બનાવવાની વ્યવસ્થા આદર્શ ગણાશે. સાથે સાથે તે વ્યક્તિઓને પણ સમૃદ્ધ બનાવશે તથા તેમાં રહેલી સુષુપ્ત દિવ્યતાને પાંગરવાની તક આપશે. ધર્મની આ જ બેવડી ભૂમિકા છે, જે માનવજાતને તેના અંતિમ લક્ષ્ય એટલે કે ઈશ્ર્વરનો સાક્ષાત્કાર અર્થાત્ મોક્ષ તરફ દોરી જશે.