Apr 18, 2015

પરાજયનું પ્રથમ પગથિયું

મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. એક તરફ અર્જુન હતો, જેના સારથિ ભગવાન શ્રીકૃષ્ણ હતા. બીજી તરફ કર્ણ તેના સારથિ ‘શલ્ય’ સાથે હતો. ભગવાન શ્રીકૃષ્ણે કર્ણના સારથિ શલ્યને કહ્યું, તું અમારા વિરુદ્ધ જરૂરથી લડજે પરંતુ મારી એક વાત માનજે. જ્યારે કર્ણ કોઈ પ્રહાર કરે ત્યારે તારે કહેવાનું કે આ તો કંઈ પ્રહાર છે, તમને તો પ્રહાર કરતાં જ નથી આવડતું. બસ, તારે યુદ્ધ દરમિયાન સતત આ વાક્યો જ રટતા રહેવાનું છે. શલ્યે કૃષ્ણની વાત માની લીધી. યુદ્ધ શરૂ થયું અને કર્ણના પ્રત્યેક પ્રહાર સાથે શલ્ય કૃષ્ણે કહ્યા પ્રમાણેનું બોલતો જ્યારે અર્જુનના પ્રત્યેક પ્રહાર બાદ શ્રીકૃષ્ણ કહેતા, વાહ, શું પ્રહાર છે! શું નિશાન તાક્યું છે! એક તરફ શલ્યની સતત ટીકાથી કર્ણ હતોત્સાહિત થતો ગયો અને પાંડવો વધુ ને વધુ શક્તિશાળી બનતા ગયા. અર્થાત્ પ્રોત્સાહન મન માટે અમૃત સમાન છે જ્યારે હતોત્સાહિત મન પરાજયનું પ્રથમ પગથિયું છે.

Apr 9, 2015

પારસથી પણ મૂલ્યવાન

પોતાની નિર્ધનતાથી ત્રસ્ત એક વ્યક્તિ સંન્યાસી પાસે પહોંચ્યો અને કરગરવા લાગ્યો - સ્વામીજી, હું ખૂબ જ દરિદ્ર છું. મને કંઈક આપો. સંન્યાસીએ હસીને કહ્યું, ભાઈ, હું ખુદ આ પહેરે લૂગડે છું. તને શું આપવાનો...? છતાં તારે જોઈતું હોય તો થોડા દિવસ પહેલાં હું નદીએ સ્નાન કરતો હતો ત્યારે મારા હાથમાં પારસ આવ્યો હતો, પરંતુ મારે એનું શું કામ, કહી મેં તેને ત્યાં જ છોડી દીધો હતો. તું તે લઈ શકે છે. સંન્યાસીની વાત સાંભળતાં જ પેલો નિર્ધન માણસ દોડીને નદીકિનારે પહોંચ્યો અને પારસ ઉઠાવી ખુશ થતાં ઘર તરફ જવા લાગ્યો... ત્યાં જ તેના મનમાં એક ઝબકાર થયો અને સંન્યાસી પાસે પરત દોડી ગયો અને ગળગળો થઈ

Apr 2, 2015

ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવ કટ્ટર હિન્દુ હતા - ન્યૂઝ વોચ - સંજય વોરા

ને હરુ-ગાંધી પરિવાર સિવાયના કોંગ્રેસી વડા પ્રધાનોને કોંગ્રેસીઓ કદી યાદ રાખવાની કોશિષ કરતા નથી. ઇ.સ. ૧૯૯૧-૯૬ વચ્ચે ભારતના વડા પ્રધાન રહી ચૂકેલા પી.વી. નરસિંહ રાવ તેમાંના એક છે. ઇ.સ. ૨૦૦૪માં ૮૩ વર્ષની ઉંમરે નરસિંહ રાવનું દિલ્હીમાં અવસાન થયું ત્યારે તેમના મૃતદેહને કોંગ્રેસના કાર્યાલયમાં દર્શન માટે રાખવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો. જો દિલ્હીમાં તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવે તો યમુનાકિનારે તેમનું સ્મારક બનાવવું પડે તેવા ડરથી તેમના અંતિમસંસ્કાર હૈદરાબાદમાં કરવામાં આવ્યા હતા. કોંગ્રેસી નેતાઓ જેમને ભૂલવા માગે છે તે નરસિંહ રાવનું સ્મારક દિલ્હીમાં બનાવવાનો નિર્ણય કરીને

દેશનું સન્માન

સ્વામી રામતીર્થ એક વખત જાપાનના પ્રવાસે ગયા હતા. ત્યારે રેલયાત્રા દરમિયાન તેમને ફળો ખાવાની ઇચ્છા થઈ. રેલગાડી એક સ્ટેશન પર ઊભી રહેતાં તેઓ ફળ લેવા નીચે ઊતર્યા, પરંતુ અનેક પ્રયત્નો છતાં સ્ટેશન પર તેમને ખાવા લાયક ફળ મળ્યાં નહીં, આથી વ્યથિત થઈ તેઓ બોલી ઊઠ્યા, ‘શું જાપાનમાં ક્યાંય સારાં ફળો જ નથી મળતાં!’ એક જાપાની યુવકે તેમના આ શબ્દો સાંભળી લીધા. બીજા સ્ટેશન પર તે યુવક ઝડપથી ટ્રેનમાંથી નીચે ઊતર્યો અને તાજાં ફળોની એક ટોકરી લાવી રામતીર્થ સામે ધરતાં બોલ્યો, ‘લો સજ્જન, કદાચ તમને આની જરૂર હતી.’ સ્વામીજીએ તેને ફેરિયો સમજી ફળોની કિંંમત પૂછી, પરંતુ પેલા યુવાને પૈસા લેવાની ના પાડી દીધી. સ્વામીજીના ખૂબ આગ્રહ બાદ પેલા યુવકે કહ્યું, ‘સજ્જન, આ ફળની ટોકરીની કિંંમત એટલી જ છે કે, તમે તમારા દેશમાં જઈને કોઈને કહેતા નહીં કે, જાપાનમાં સારાં ફળો નથી મળતાં.’ સ્વામી રામતીર્થ એ યુવકની દેશભક્તિ જોઈ મુગ્ધ થઈ ગયા. ભારત પરત ફર્યા બાદ તેઓએ આ વાત અનેક યુવકોને વારંવાર સંભળાવી અને જાપાની લોકોની દેશભક્તિમાંથી પ્રેરણા લેવાની કહેતાં શિખામણ આપતા હતા.