Jan 2, 2012

આપણે જે વિચારો કરીએ છીએ તેવી આપણી દુનિયા બને છે


તાજા લગાડેલા છોડને ઉખાડી નાખવો સહેલો છે. પરંતુ તે છોડ વૃક્ષ બની જાય છે ત્યારે તેને મૂળથી ઉખાડી ફેંકી દેવો એ મનુષ્યના ગજા બહારની વાત છે. તેવી રીતે મનમાં અશુભ - દુષ્ટ સંકલ્પ આવતાં જ તેનું ઉચ્છેદન કરી તેની જગ્યાએ શુદ્ધ, પવિત્ર - કલ્યાણકારી સંકલ્પોનું સંયોજન કરી દેવું જોઈએ.
માર્કોનીએ ટેલિગ્રાફ મશીનની શોધ કરી તે વખતના તેના કથન મુજબ ‘જેમ તળાવના સ્થિર પાણીમાં એકાદ કાંકરો ફેંકો ને તરંગ ઉત્પ્ન્ન થાય છે, તે રીતે વાયુમંડળમાં બોલાયેલો શબ્દ યા સ્વર ગતિ ઉત્પ્ન્ન કરે છે. શબ્દના તરંગો દૂર સુધી - ગમે તેટલું અંતર કેમ ન હોય ત્યાં સુધી - પહોંચે છે અને ટેલિગ્રાફ મશીનને તે શબ્દો પોતાના અસ્તિત્વનો અનુભવ કરાવે છે. આકાશના સૂક્ષ્મ મંડલ (ઇથર) પર સંકલ્પોના તરંગો દોડે છે, કામ કરે છે અને દૂર સુધી પહોંચે છે. આકાશમાં ઇથરની શક્તિ વિદ્યમાન છે. તેના ઉપર જેમ સંકલ્પોના તરંગો દૂર સુધી પહોંચાડી શકાય છે તેમ આપણા મગજમાં નિરંતર વિચારથી ગતિ ઉત્પ્ન્ન થાય છે અને જે રીતે વિદ્યુતનો પ્રવાહ વહે છે તે રીતે મસ્તકમાંથી તે વહે છે. જો વિચારો અનિચ્છિત હોય - સહજ આવી જતા હોય તો તેની પાછળ સંકલ્પશક્તિનું બળ નથી હોતું. તે તરત જ નષ્ટ થાય છે, પરંતુ વિચારશક્તિના તરંગો કે જેની પાછળ સંકલ્પશક્તિનું બળ છે તે મનુષ્યના મસ્તકમાંથી નીકળી કોઈ જાતની રુકાવટ અથવા વિરોધ છતાં પણ દોડતું રહે છે. જ્યાં સુધી એવી કોઈ વ્યક્તિ મતલબ, એવું કોઈ મન મળી જાય જે તેના વિચારોને અનુકૂળ થાય અથવા તો સહાનુભૂતિ રાખતું હોય છે.
આકાશમાં અનેક પ્રકારના વિચારો ચક્કર લેતા હોય છે. જે પ્રકારના વિચારો ગ્રહણ કરવાની મનુષ્યમાં શક્તિ હોય છે તે પ્રમાણે વિચારોને આકાશમાંથી તે પોતાની તરફ ખેંચે છે. તેથી જો કોઈ ખરાબ વિચાર મનમાં ઉત્પ્ન્ન થઈ જાય તો તે પ્રકારના વિચારોનો પ્રવાહ મનમાં આવી જાય છે અને ત્યાં સુધી બંધ નથી થતો જ્યાં સુધી મનુષ્ય પોતાની પ્રબળ સંકલ્પશક્તિથી મનમાં આવતા એ વિચાર પ્રવાહોને રોકતો નથી. આકાશમાં ઉત્તમમાં ઉત્તમ અને નિષ્કૃષ્ટ વિચારો અસ્તિત્વમાં છે તેથી મનુષ્યે તો એવા વિચારો જ ગ્રહણ કરવા જોઈએ કે તેના વિકાસ માટે અનુકૂળ હોય, નહીં કે તેનું અધ:પતન નોતરે. સારા વિચારો ગ્રહણ કરે.
જો તમે કોઈના માટે ખરાબ ભાવના કરશો તો જેના માટે એ ભાવના કરી છે તેને દુ:ખ અને વ્યથા પહોંચાડ્યા પછી તેઓ તેવા જ વિચારો તમારા માટે ઉત્પ્ન્ન કરશે. મતલબ, જેટલી ઘૃણાથી તમે બીજા તરફ જોશો તેનાથી અધિક માત્રામાં તેવા વિચારો તમારી પાસે પાછા આવશે.
પ્રબળ સંકલ્પશક્તિના જોરે માણસ રાષ્ટ્ર માટે આત્મસમર્પણ કરે છે અને આપણા પ્રેરણામૂર્તિ શ્રી ગુરુજી તથા સંઘના જનક ડા. હેડગેવારના દાખલા આપણી સમક્ષ છે જ ને! તેમની દ્ઢ સંકલ્પશક્તિના બળે તો બધી જ પ્રતિકૂળ પરિસ્થિતિમાં સંઘે ઊંડાં મૂળિયાં ઘાલ્યાં હતાં તેથી તો આજે પણ સંઘ યથાશક્તિ કાર્યરત છે.
ગુરુજીની સંકલ્પશક્તિ તેમના વિદ્યાર્થીકાળથી જ પ્રબળ હતી.
ઈ.સ. 1928માં કાશી વિશ્ર્વ વિદ્યાલયમાં હતા ત્યારે એમ.એસસી.ની પરીક્ષા નજીક આવી ત્યારે ધ્યાનધારણામાંથી તે સફાળા જાગ્યા અને પૂરી હિંમતથી અને સંકલ્પશક્તિથી પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા. પરંતુ તે સંનિપાતની બીમારીમાં પટકાઈ પડ્યા. પરીક્ષાના નજીકના દિવસોમાં જ ત્રણ અઠવાડિયાં બગડ્યાં. નબળાઈ પણ ખૂબ આવી ગઈ હતી. તેમણે મામાને બધી વિગતથી વાકેફ કર્યા. પત્ર વાંચતાં મામા નારાજ થઈ ગયા અને તેમણે તરત કહેવરાવ્યું કે પાસ થવાય કે ન થવાય પણ પરીક્ષા આપવી જ પડશે. ગુરુજીના મનમાં વાત બેસી ગઈ અને એવી તબિયતે પણ તેમણે પરીક્ષાની તૈયારી શ‚ કરી. ત્યાર પછી તેમના કક્ષ નં. 309નો દીવો રાત્રે ક્યારેય ઓલવાયો ન હતો. નિત્ય ક્રિયાઓનો સમય બાદ કરતાં તે અભ્યાસમાં જ વ્યસ્ત રહેતા. ઓછામાં પૂરું તેમને પગે વીંછી કરડ્યો. જરા પણ વિચલિત થયા વગર ઊઠ્યા અને ઠંડા પાણીની ડોલમાં રસાયણયુક્ત ક્ષાર નાખી તેમાં પગ રાખી અભ્યાસ કરવા લાગી ગયા. હોસ્ટેલમાં સહજ રીતે આ સમાચાર ફેલાઈ ગયા તેથી મિત્રોએ તેમને આરામ કરવાની સલાહ આપી ત્યારે ખૂબ જ સ્વસ્થતાથી તેમણે કહ્યું, ‘વીંછી પગે કરડ્યો છે અને અભ્યાસ તો મગજથી કરવાનો છે. બંનેને પોતપોતાનું કામ કરવા દો.’ અને તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો અને એમએસ.સી.ની પરીક્ષામાં પ્રથમ કક્ષામાં ઉત્તીર્ણ થયા. ટૂંકમાં, વિદ્યાર્થી અવસ્થામાંથી જ તેમની પ્રબળ સંકલ્પશક્તિ કામે લાગી હતી અને તેમની રાષ્ટ્રસમર્પણની ભાવનાનાં મૂળ તેમની આ દ્ઢ પ્રબળ શક્તિમાં હતા. તેમની રાષ્ટ્રસેવાને,
તેમની આ દ્ઢ શક્તિને નમસ્કાર કરી આપણામાં આવી શક્તિ આવે તેવા આશીર્વાદ માગીએ.C

No comments:

Post a Comment