Jun 23, 2015

સાચો યોગી

એક યુવકના મનમાં યોગ-સાધનાને લઈને જિજ્ઞાસા ઉત્પન્ન થતાં એ એક તેજસ્વી યોગી-મહાત્મા પાસે ગયો અને કહ્યું, ‘સ્વામીજી મારે યોગ વિદ્યા થકી મારામાં છુપાયેલ રહસ્યમયી શક્તિઓને જાણવી છે, મને તમારાં શિષ્ય તરીકે દિક્ષા આપો!’

યોગીએ કહ્યું, ‘યોગ-સાધનામાં દિક્ષા આપવાનો અધિકાર માત્ર સદ્ગુરુનો છે. હું તને એ સદ્ગુરુની કેટલાક નિશાનીઓ આપું છું, તારે તેમની શોધ કરવી પડશે.’

યોગીએ આપેલી નિશાનીઓ પ્રમાણે પેલા યુવાને વર્ષો સુધી શોધ આદરી, આખરે એક દિવસ તેણે એક વૃક્ષ નીચે બેઠેલા દિવ્ય વ્યક્તિત્વધારી યોગી જોયા, ચારે તરફ દિવ્ય પ્રકાશ અને એવો જ તેજસ્વી ચહેરો. તેમને જોતાં જ એમનો એ ચહેરો જોતા આશ્ર્ચર્યમાં પડી ગયો. એ તેજપૂંજ ધરાવનારા યોગી એ જ સાધુ હતા જેમને તે વરસો પહેલાં મળ્યો હતો. આશ્ર્ચર્ય સાથે એણે યોગીને પૂછ્યું, ‘બાબા તમે મને આટલો ભટકાવ્યો શું કામ?’

યોગીએ જવાબ આપ્યો બેટા, ‘પહેલાં તારામાં યોગ વિશે માત્ર કૌતુક હતું અને આજે શિષ્યભાવ છે, અને યોગ માટે માત્ર કૌતુક હોવાથી જ કોઈ યોગી ના બની શકે, તેના માટે ધીરજ હોવી જોઈએ અને યોગને ગુરુ માની પોતાનામાં તેના પ્રત્યે શિષ્યભાવ પ્રગટ કરે તે વ્યક્તિ જ સાચો યોગી બની શકે.

No comments:

Post a Comment